દેશમાં કોરોના સંક્રમણ ભયાનક સ્તરે વધી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં કેસની સંખ્યા છ લાખ કરતાં વધારે થવાથી વેક્સિન પણ omicron સામે બેઅસર હોવાનું સાબિત થઈ રહ્યું છે.
દેશમાં ઓમિક્રોન અને કોરોનાનાં કેસ વધ્યા
દર્દીઓની સંખ્યા ચાર ગણી
એક સપ્તાહમાં 6 ગણાં કેસ
દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે ભયાનક રીતે વધી રહ્યું છે. પ્રતિદિન એક લાખ કરતાં વધારે નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે.
એક સપ્તાહમાં 6 ગણાં કેસ
સંક્રમિતોની સંખ્યામાં એક જ સપ્તાહમાં છ ગણો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ Omicron વેરિયન્ટ હોવાનું માનવામાં આવે છે. ઓમિક્રોન હવે વેક્સિનને પણ મા'ત આપી રહ્યો છે. વધતા સંક્રમણ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.
છ લાખ કેસ નોંધાયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોના દર્દીઓના કેસ લોડમાં ઝડપથી વધારો થયો છે. 9 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં કોવિડ-19ના 6,38,872 કેસ નોંધાયા હતા. આ કેસો 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે નોંધાયેલા 1,02,330 કેસ કરતાં છ ગણા વધુ છે.
દર્દીઓની સંખ્યા ચાર ગણી
એ જ રીતે, કોવિડના પેશન્ટ્સની દૈનિક સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. 27 ડિસેમ્બરે દેશમાં 6531 દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 2 જાન્યુઆરીએ આ સંખ્યા વધીને 27,553 થઈ ગઈ હતી.
ભારતમાં 24 કલાકમાં 1,59,632 નવા કેસ નોંધાયા હતા તો સામે 40,863 દર્દીઓ સાજા થયા હતા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 327 દર્દીઓના મોત થયા હતા. દિવસે દિવસે વધી રહેલા આ આંકડા ફરી ચિંતાનો વિષય બન્યા છે.
સૌથી વધુ કેસ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે.
દેશમાં પાંચ લાખ 90 હજારથી વધુ એક્ટિવ કેસ
છેલ્લા 24 કલાકમાં 1,59,632 કોરોના કેસ સામે આવ્યા બાદ દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 5,90,611 થઈ ગઈ છે. તો સામે છેલ્લા 24 કલાકમાં 327 મૃત્યુ નોંધાયા છે.રવિવારે 1,59,632 કેસ નોંધાયા હતા, જે શનિવાર કરતા 13 ટકા વધુ છે.
ઓમિક્રોનનાં 3623 કેસ
ભારતમાં આ સાથે ઓમિક્રોન કેસની સંખ્યા 3623 પહોંચી ગઈ છે. જેમાંથી 1409 દર્દીઓ રિકવર થઈ ગયા છે. ઓમીક્રોનનાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1009 કેસ છે જ્યારે દિલ્હી બીજા ક્રમે 513 કેસ સાથે છે.