એપ્રિલ મહિનામાં રોજના 5 લાખ કેસ આવી શકે છે અને દર રોજ 3 હજારથી વધારે મોત થઈ શકે છે.
આ ચાર અઠવાડિયા ભારત માટે મુશ્કેલી ભર્યા
દર રોજ 3 હજારથી વધારે મોત થઈ શકે
એપ્રિલ મહિનામાં રોજના 5 લાખ કેસ આવી શકે
આ ચાર અઠવાડિયા ભારત માટે મુશ્કેલી ભર્યા
એક મીડિયા રિપોર્ટ મુજબ કોરોના જે રીતે વધી રહ્યો છે. તેને જોતા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અપ્રિલના મહિનામાં તે સૌથી ભયંકર સાબિત થવાનો છે. એક ન્યૂઝ ચેનલે પોતાના એક શોમાં જે મોર્ડલથી આ પ્રિડિક્શન કર્યુ છે તે મુજબ એપ્રિલ એટલે કે આ મહિનામાં દર રોજ 5 લાખ કેસ આવી શકે છે અને લગભગ 3થી 4 હજાર મોત થઈ શકે છે. એટલું જ નહીં દર રોજ 25 હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. જેમાં અંદાજો લગાવાઈ રહ્યો છે કે આ ચાર અઠવાડિયા ભારત માટે મુશ્કેલી ભર્યા છે.
લોકડાઉન છતાં કોરોનાની રફ્તાર અટકવાની નથી
તેવામાં સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક જોવા મળી રહી છે. પણ સૌથી વધારે કે મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ બહુ ખરાબ છે. જેના કારણે અહીં 15 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જો કે ચિંતાજનક વાત એ છે કે લોકડાઉન છતાં કોરોનાની રફ્તાર અટકવાની નથી. અહીં વધારે ભયંકર સ્થિતિ જોવા મળી શકે છે.
મહારાષ્ટ્રમાં એપ્રિલના અંત અને મેની શરુઆતમાં કોરોનામાં ભારે ઘટાડો જોવા મળી શકે
જો કે રાહતની વાત એ છે કે જે રીતે સાઉથ આફ્રિકા, બ્રિટન અને અમેરિકામાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે તે જ રીતે કોરોનાની ગતિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે મોર્ડલને લઈને આ ન્યૂઝ ચેનલે અનુમાન લગાવ્યું છે તે મુજબ મહારાષ્ટ્રમાં પણ એપ્રિલના અંત અને મેની શરુઆતમાં કોરોનામાં ભારે ઘટાડો જોવા મળી શકે છે.
અહીં 612070 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે
રાજ્યમાં બુધવારે કોરોનાના 58, 952 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 278 દર્દીઓના મોત થયા છે. મોતનો કુલ આંકડો 58804 થયો છે. સ્વાસ્થ્ય વિભાગે બ્રેક ધ ચેન અભિયાન હેઠળ રાજ્યમાં 15 દિવસનું કડક કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં રાતના 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી મીની લોકડાઉન રહેશે. મહારાષ્ટ્રમાં 11 એપ્રિલે સંક્રમણના 63, 294 મામલા સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સૌથી વધારે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35,78, 160 લોકો સંક્રમિત થયા. જેમાં 29,05, 721 દર્દી સાજા થઈ ગયા છે. 612070 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.
દેશમાં કોરોનાનું વિકરાળ રુપ
દેશમાં બુધવાર સુધીમાં 199569 નવા મામલા સામે આવ્યા છે. આ મહામારીની શરુઆતને લઈને અત્યાર સુધીમાં એક દિવસમાં મળનારા કોરોનાના સૌથી વધારે કેસ છે. પહેલી લહેરમાં આટલુ વિકરાળ રુપ જોવા નહોંતુ મળ્યુ. 24 કલાકમાં 1037 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા 14070300 થઈ છે. કોરોનાના પીડિત લોકોના સાજા થવાનો દર ઘટીને 89.51 ટકા રહી ગયો છે.