દેશમાં કોરોનાની ઝડપ હવે ધીમે ધીમે ઘટી રહી છે. જો કે તેનો ખતરો હજુ પણ યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2.86 લાખ કોરોના કેસ નોંધાયા હતા.
દેશમાં આજે ફરી 2.8 લાખ કોરોના કેસ નોંધાયા
573 દર્દીઓના મૃત્યુ થયા
ગઇકાલ કરતાં કેસ વધ્યા પણ મૃત્યુઅંક ઓછો
Covid-19 New Cases
દેશમાં કોરોનાની ઝડપ હવે ધીમે ધીમે ઘટી રહી છે. જો કે તેનો ખતરો હજુ પણ યથાવત છે. કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાક દરમિયાન 2,86,384 નવા કેસ નોંધાયા છે.
આજે કેટલા મૃત્યુ નોંધાયા
આજે કોરોનાનાં કારણે 573 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ સાથે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 22,02,472 થઈ ગઈ છે.
આ અગાઉ બુધવારે કોરોના વાયરસના 2 લાખ 85 હજાર 914 નવા કેસ સામે આવ્યા હતા અને 665 લોકોના મોત થયા હતા.
વેકસીનેશન કેટલે પહોંચ્યું?
આજે વેકસીનેશનનો કુલ આંકડો 1,63,84,39,207 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 14,62,261 લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. એવી માહિતી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળી હતી.
ગઇકાલ કરતાં કેસ વધ્યા પણ મૃત્યુઅંક ઓછો
ગઈકાલે દેશમાં 2 લાખ 85 હજાર 914 કેસ નોંધાયા હતા. આજે કેસની સાંખ્યમાં વધારો થયો છે પરંતુ મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 665 લોકોના મોત થયા હતા. જેની સાપેક્ષે આજે 100 જેટલા કેસ ઓછા નોંધાતા 573 દર્દીઓના મૃત્યુ થતાં થોડી રાહત મળી છે.
India reports 2,86,384 new #COVID19 cases, 573 deaths and 3,06,357 recoveries in the last 24 hours
Active case: 22,02,472 (5.46%)
Daily positivity rate: 19.59%
બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 35,756 નવા કેસ નોંધાયા હતા અને 79 દર્દીઓના મોત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક દિવસમાં રાજ્યમાં ઓમિક્રોન વાયરસને કારણે ચેપનો કોઈ નવો કેસ નોંધાયો નથી.
નવા કેસ આવ્યા બાદ કુલ કેસ વધીને 76,05,181 થઈ ગયા છે. રાજ્યમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 1,42,316 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનથી 2,858 કેસ નોંધાયા છે, જેમાંથી 1,534 દર્દીઓ સાજા થયા છે. હાલમાં રાજ્યમાં કોવિડના 2,98,733 દર્દીઓ સારવાર હેઠળ છે. બુલેટિન અનુસાર, મુંબઈમાં ચેપના 1,858 નવા કેસ નોંધાયા છે અને રોગચાળાને કારણે 13 દર્દીઓના મોત થયા છે.