ભારતમાં કોરોનાનાં કેસ દિનપ્રતિદિન ઘટી રહ્યા હોય એવું લાગે છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1,49,394 કેસ નોંધાયા છે. દેશમાં પોઝિટીવીટી રેટ હવે 9.27 ટકા છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 1.49 લાખ કેસ
ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના 13 ટકા કેસ ઓછા
મૃત્યુઆંકમાં વધારો
1.49 લાખ નવા કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1,49,394 કેસ નોંધાયા છે. અને 1072 દર્દીઓના થયા મૃત્યુ થયા હતા. તો સામે 2,46,674 દર્દીઓ થયા સાજા થયા હોવાના આંકડા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
India reports 1,49,394 fresh COVID cases (13% lower than yesterday), 2,46,674 recoveries, and 1072 deaths in the last 24 hours
Active cases: 14,35,569
Death toll: 5,00,055
Daily positivity rate: 9.27%
ભારતમાં આજે કોરોનાવાયરસના કેસો: દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,49,394 કેસ નવા નોંધાયા છે અને 1072 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના 13 ટકા કેસ ઓછા આવ્યા છે. ગઈકાલે 1,72, 433 કેસ આવ્યા હતા. દેશમાં પોઝિટીવીટી રેટ હવે 9.27 ટકા છે.
એક્ટિવ કેસ ઘટીને 14,35,569
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 14,35,569 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 55 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે બે લાખ 46 હજાર 674 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 4 કરોડ 17 હજાર 88 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.
મૃત્યુઆંક વધ્યો
ગઈકાલે કોરોનાનાં કારણે થયેલ મૃત્યુની સંખ્યા ૧૦૦૮ હતી જ્યારે આજે આ આંકડો વધીને 1072 થયો છે. જો કે આ નજીવો વધારો છે તેમ છતાં તે સ્વાસ્થ્ય વિભાગને રાહતનો શ્વાસ લેવા દે એમ નથી.
ગુજરાતની શું સ્થિતિ
તો સામે ગુજરાતમાં ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે એવું લાગે છે. છેલ્લા 24 કલાકમાં 7,606 કેસ કોરોના પોઝિટિવ આવતા ચિંતાના મોજું ફરી વળ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3,118કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 227 કેસ તો રાજકોટ શહેરમાં 238 કેસ, વડોદરા શહેરમાં 1,127કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 354 કેસ, ભાવનગર શહેરમાં 65 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 34 લોકોએ જીવ ખોયો છે. જ્યારે 13,195 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 63,564 સુધી પહોંચી ગઈ છે.