દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અમુક રાજ્યો અને વિસ્તારોમાં તો સંક્રમણનો દર ખૂબ વધી ગયો છે. ભારતમાં ટૂંક સમયમાં રોજના બે લાખ કેસ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 25 ટકા
ટેસ્ટ કરાવનાર દર ચોથો વ્યક્તિ કોરોના પોઝિટિવ
એક દિવસમાં 20 હજાર જેટલા કેસ
સંક્રમણ દર 25 ટકા
દિલ્હીમાં સોમવારે કોરોનાનો સંક્રમણ દર વધીને 25 ટકા થઈ ગયો હતો. એટલે કે દિલ્હીમાં ટેસ્ટ કરાવનાર દરેક ચોથા વ્યક્તિના ટેસ્ટ રિપોર્ટમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે.
એક્ટિવ કેસની સંખ્યા 66 હજારની નજીક
સોમવારે 17 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા હતા. તે જ સમયે, એક્ટિવ કેસ દર્દીઓની સંખ્યા વધીને 66 હજારની નજીક પહોંચી ગઈ છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે કોરોનાના 19166 નવા કેસ નોંધાયા છે. જ્યારે 14076 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જ્યારે 17 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં 15,68,896 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 14,77,913 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાને કારણે 25,177 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુદર ઘટીને 1.60 ટકા પર આવી ગયો છે.
ભારતમાં 1.8 લાખ કેસ
ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના 1, 79, 723 નવા મામલા આવ્યા છે અને 46,569 લોકો સાજા થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ આ મહામારીએ કાલે 146 દર્દીઓના જીવ લીધા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે કે આઈસીએમઆરના જણાવ્યાનુંસાર ભારતમાં કાલે કોરોનાના 13, 52, 717 સેમ્પલ લેવામાં આવ્યા. આની સાથે દેશમાં કાલ સુધી કુલ 69, 15, 75, 352 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
એક્ટિવ કેસની સંખ્યા 7, 23,619
કેન્દ્ર સરકાર તરફથી જારી આંકડા પર નજર નાંખીએ તો દેશમાં અત્યાર સુધીમાં કુલ મામલા 3,57,07,727 થઈ ચૂક્યા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 7, 23,619 છે. અત્યાર સુધી મહામારીના 3,45,00,172 લોકો સાજા થઈ ચૂક્યા છે. જો કે આ વાયરસે દેશમાં અત્યાર સુધીમાં 4,83,936 લોકોનો જીવ લીધો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને હરાવવા રસીકરણ પર ભાર મુકવામાં આવ્યો છે. આજથી 60થી વધારે ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાના શરુ કરવામા આવ્યા છે. અત્યાર સુધીમાં 1,51,94,05,951 કોરોનાના ડોઝ અપાઈ ચૂક્યા છે.
દિલ્હીમાં કોરોનાથી 17ના મોત, સંક્રમણના 22, 751 નવા મામલા સામે આવ્યા
દિલ્હીમાં કોરોનાથી 17ના મોચ થયા છે. ત્યારે સંક્રમણના 22, 751 નવા મામલા સામે આવ્યા. જ્યારે સંક્રમણ દર 23. 53 ટકા રહ્યો. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારે જારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. રવિવારે ગત વર્ષ એક મે બાદથી કોઈ એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે મામલા છે. એક મેએ સંક્રમણના 25, 219 મામલા સામે આવ્યા હતા અને સંક્રમણ દર 31. 61 ટકા રહ્યો હતો. સરકારી આકંડા અનુસાર કોરોનાના 1618 હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 44 વેન્ટિલેટર પર છે.