સોશિયલ મીડિયા પર લોકોને સંબોધિત કરતા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કેટલાક નવા પ્રતિબંધો તથા સમગ્ર રાજ્યમાં 15 દિવસ સુધી કલમ 144 લાગુ પાડવાની જાહેરાત કરી છે.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ સોશિયલ મીડિયા પર લોકોને કર્યાં સંબોધિત
રાજ્યમાં કોરોના બેકાબૂ થયો છે
મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ઘણો વધારે છે
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કેટલાક નવા પ્રતિબંધો તથા સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ પાડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે આવતીકાલથી બ્રેક ન ચેઈન શરુ થશે. રાજ્યમાં જરુરી સેવાઓને બાદ કરતા તમામ સેવાઓ પર પ્રતિબંધ છે. 15 દિવસ સુધી ફક્ત જરુરી સેવાઓ ચાલુ રહેશે. લોકોની અવરજવર બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ રહેશે તથા લોકોને કારણ વગર ઘરની બહાર નહીં નીકળી શકે.
ઓક્સિજનની તાત્કાલિક જરુર છે-ઠાકરે
સીએમ ઠાકરેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ઘણો વધારે છે. રાજ્ય પર ઘણું દબાણ આવ્યું છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં બેડ વધારે છે તેમ છતા પણ રાજ્યમાં કોરોના કન્ટ્રોલમાં આવતો નથી. ઓક્સિજનનો પૂરેપૂરો ઉપયોગ આરોગ્ય સેવા પર કરાઈ રહ્યો છે. લોકોના જીવ બચાવવા માટે 100 ટકા ઓક્સિજનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઠાકરેએ જણાવ્યું કે અમારે ઓક્સિજનની તાત્કાલિક જરુર છે.જ્યાં સુધી અમને ઓક્સિજન નહીં મળે ત્યાં સુધી પરિસ્થિતિ ખરાબ જ રહેવાની છે. બીજા રાજ્યોમાંથી ઓક્સિજન લાવવામાં વાર લાગશે. સિસ્ટમ કોઈ પણ સમયે ક્રેશ થઈ શકે છે. અમે મોતનો એક પણ આંકડો છુપાવી રહ્યાં નથી.
સીએમ ઠાકરેની મહત્વની જાહેરાતો
- રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આગામી 15 દિવસ સુધી, સમગ્ર રાજ્યમાં બિનજરૂરી ફરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ વ્યક્તિને જરૂરી કામ કરવામાં આવે ત્યારે જ ઘર છોડવું.
- ઈ-કોમર્સ અને પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. હોટલ ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધા ચાલુ રહેશે.
- મહારાષ્ટ્રમાં 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયાની આર્થિક મદદ આપવાની CM ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત
- રાજ્યમાં આવશ્યક સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે. જાહેર બસ સેવા જેવી ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ નહીં થાય
- ઈ-કોમર્સ અને મીડિયા ચાલુ રહેશે
- હોટેલ અને રેસ્ટોરન્ટ હોમ ડિલીવરી અને ટેક-અવે માટે ખુલ્લી રહેશે.
Maharashtra COVID19 guidelines: All establishments, public places, activities to remain closed. Essential services exempted, their operations to be unrestricted.
સંપૂર્ણ રાજ્યમાં બિનજરૂરી આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. સવારે 7થી રાત્રે 8 સુધી જરૂરી સેવાઓ ચાલુ રહેશે. ટ્રાન્સપોર્ટેશન ચાલુ રહેશે. પરંતુ આ તમામ સેવાઓ જરૂરી કામકાજ માટે જ રહેશે. દરેક ઓફિસો અને સંસ્થાનો 15 દિવસ સુધી સંપૂર્ણ રીતે બંધ કરવાની રહેશે.
5500 કરોડનું પેકેજ તૈયાર કર્યુ છે : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયાની આર્થિક મદદ આપવાની CM ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત. રિક્ષાવાળાઓને પણ 1500 રૂપિયાની મદદ અપાશે. આ ઉપરાંત આદિવાસીઓને પણ 2000 રૂપિયાની આર્થિક મદદ કરાશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે 3300 કરોડ રૂપિયા માત્ર કોવિડ સંબંધિત સુવિધાઓ માટે અલગથી રાખ્યાં છે. 5500 કરોડ આર્થિક મદદનું પેકેજ ઉદ્ધવ સરકારે તૈયાર કર્યુ છે.સીએમ ઠાકરેએ મોદી સરકારને એવી પણ અપીલ કરી કે મહારાષ્ટ્રને હજુ પણ ઓક્સિજનની ઘણી જરુર છે તેથી એરફોર્સ દ્વારા મંગાવવાની મંજૂરી આપવામાં આવે. ઠાકરેએ કહ્યું કે આપણે ક્યાં સુધી ચર્ચા કરતા રહીશું. આ સમય એવો છે કે આપણે કંઈક કરવું પડશે નહીતર સમય હાથમાંથી નીકળી જશે તો પછી સ્થિતિ સંભાળવી અઘરી બની જશે.
જીએસટી રિટર્નની ડેડલાઈન ત્રણ મહિના લંબાવવામાં આવે
તેમણે કહ્યું કે અમે પ્રધાનમંત્રીને વિનંતી કરીએ છીએ કે અમને ઓક્સિજન પુરો પાડવામાં આવે. અમારી એવી પણ માંગ છે કે સડક માર્ગે તો ઓક્સિજન આવી રહ્યો છે પરંતુ હવે હવાઈ માર્ગે પણ ઓક્સિજન પહોંચાડવામાં આવે. તેમાં એરફોર્સની મદદ લેવા અંગે પ્રધાનમંત્રીને પૂછ્યું છે. અમે પ્રધાનમંત્રી પાસે એવી પણ માગ કરી છે કે પ્રદેશમાં જીએસટી રિટર્ન ફાઈલ કરવા માટે લઘુ ઉદ્યોગો માટે ત્રણ મહિનાની ડેડલાઈન લંબાવવામાં આવે.
નવા દૈનિક કેસ વધતાં જાય છે : સરકાર
મંત્રાલયે કહ્યું કે દેશમાં નવા દૈનિક કેસ સતત વધતા જાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. આ પછી ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં નવા કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 13,500 કેસ નોંધાયા છે. એકલા મહારાષ્ટ્રમાં 44.78 ટકા કેસ છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, તમિળનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, કેરળ, તેલંગાણા, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ - સોળ રાજ્યોમાં નવા દૈનિક કેસ વધી રહ્યાં છે. દેશમાં સ્વસ્થ લોકોની સંખ્યા 1,22,53,697 છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 97,168 લોકો સ્વસ્થ થયા છે.