દેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં અધધ 1.5 લાખથી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે જે ચિંતાજનક આંકડો છે.
ભારતમાં વધી રહ્યા છે કોરોનાનાં કેસ
એક જ દિવસમાં 1.5 લાખથી વધુ કેસ
327 દર્દીઓના મોત
એક દિવસમાં 13 ટકા કેસ વધ્યા
દેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.5 લાખથી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. રવિવારે 1,59,632 કેસ નોંધાયા હતા, જે શનિવાર કરતા 13 ટકા વધુ છે.
કોરોના વાયરસ કેસ અપડેટ: ભારતમાં 24 કલાકમાં 1,59,632 નવા કેસ નોંધાયા હતા તો સામે 40,863 દર્દીઓ સાજા થયા હતા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 327 દર્દીઓના મોત થયા હતા. દિવસે દિવસે વધી રહેલા આ આંકડા ફરી ચિંતાનો વિષય બન્યા છે.
સૌથી વધુ કેસ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે.
દેશમાં પાંચ લાખ 90 હજારથી વધુ એક્ટિવ કેસ
છેલ્લા 24 કલાકમાં 1,59,632 કોરોના કેસ સામે આવ્યા બાદ દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 5,90,611 થઈ ગઈ છે. તો સામે છેલ્લા 24 કલાકમાં 327 મૃત્યુ નોંધાયા છે.
भारत में पिछले 24 घंटों में #COVID19 के 1,59,632 नए मामले दर्ज किए गए। इस दौरान 40,863 लोग डिस्चार्ज हुए और 327 लोगों की मृत्यु दर्ज़ की गई।
ભારતમાં આ સાથે ઓમિક્રોન કેસની સંખ્યા 3623 પહોંચી ગઈ છે. જેમાંથી 1409 દર્દીઓ રિકવર થઈ ગયા છે. ઓમીક્રોનનાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1009 કેસ છે જ્યારે દિલ્હી બીજા ક્રમે 513 કેસ સાથે છે.
WHOના નિષ્ણાંતનું મોટું નિવેદન
પ્રથમ તો નવા વેરિયન્ટના મ્યૂટેશન વાયરસને માનવ કોશિકાઓની સાથે જોડવામાં મદદ કરે છે. બીજું નવા વેરિયન્ટમાં ઈમ્યૂન સિસ્ટમથી બચી નીકળવાની ક્ષમતા છે. અંતે લોકોમાં રિઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. એટલે કે, પહેલા સંક્રમણનો શિકાર થઈ ચૂકેલ લોકો અથવા વેક્સિનેટ થયેલા લોકો માટે પણ બચવું અઘરું છે.
ત્રીજું કારણ જણાવતા કેર્ખોવે કહ્યું કે, ઓમિક્રોનમાં આપણે અપર રેસ્પિરેટરી ટેક્ટમાં વાયરસને રેપ્લીકેટ થતા જોઈ શકીએ છીએ, જે ડેલ્ટા અથવા છેલ્લા કોઇપણ વેરિયન્ટથી ખૂબ જ અલગ છે. કોરોનાના છેલ્લા તમામ સ્ટ્રેન ફેફસામાં લોવર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં રેપ્લીક્ટ થાય છે.
કોવિડ પ્રોટોકૉલ્સનું પાલન કરવાની સાથે સાથે જરૂર પડે ત્યારે આઇસોલેશન અને ટેસ્ટિંગ સહિતની ફરજ નિભાવવી જરૂરી છે. તો જ કોરોનને ફરી માથું ઊંચકતા અટકાવી શકાશે.
વેન્ટિલેશન વાળી જગ્યાનો વધુ ઉપયોગ કરવાની અપીલ
આ તમામ કારણો સિવાય, વાયરસ લોકોને વધુ પ્રમાણમાં હળવા-મળવાને કારણે ખૂબ જ ઝડપથી ફેલાય શકે છે. શરૂઆતથી જ એક્સપર્ટ્સ લોકો સારી વેન્ટિલેશન વાળી જગ્યાએ લોકોને રહેવા માટે અપીલ કરી રહ્યા છે. બંધ જગ્યાઓ પર રહેનાર વ્યક્તિઓમાં એકસાથે સંક્રમણ ફેલાવાનું જોખમ વધુ રહે છે.