કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકો ચિંતામાં છે ત્યારે તેને લઈને વધુ એક ભવિષ્યવાણી કરવામાં આવી છે જેમાં કહેવાયું છે કે તે ફ્લૂ જેવી બીમારી બનીને સામે આવી શકે છે.
કોરોનાને લઈને કરાઈ મોટી ભવિષ્યવાણી
આવનારા 6 મહિનામાં ફ્લૂ જેવી બીમારી બનીને આવશે કોરોના
NCDCના ડાયરેક્ટરે કરી છે આ આગાહી
NCDCના ડાયરેક્ટર સુજીત સિંહનું કહેવું છે કે જો કોઈ નવો વેરિઅન્ટ સામે આવે છે તો ફક્ત કોરોનાની ત્રીજી લહેર લાવશે એવું નથી. તેઓએ કહ્યું કે આવનારા 6 મહિનામાં કોરોના પેન્ડમિકથી એન્ડમિકની સ્થિતિ પણ શક્ય છે.
કોરોના વાયરસની ભવિષ્યમાં આવનારી લહેરોને લઈને આ સમયે દુનિયામાં ચિંતા છે. અનેક પશ્ચિમી દેશ ડેલ્ટા વેરિઅન્ટના કારણે પ્રકોપથી લડી રહ્યા છે. આ સમયે ભારતના એક એક્સપર્ટે લોકોને રાહતના સમાચાર આપ્યા છે. NCDCના ડાયરેક્ટર સુજીત સિંહનું કહેવું છે કે જો કોઈ નવો વેરિઅન્ટ સામે આવે છે તો ફક્ત કોરોનાની ત્રીજી લહેર લાવશે એવું નથી. તેઓએ કહ્યું કે આવનારા 6 મહિનામાં કોરોના પેન્ડમિકથી એન્ડમિક (ક્યારેય ખતમ ન થનારી બીમારી)ની સ્થિતિ પણ શક્ય છે.
આ પહેલા કોણે કરી હતી ખાસ આગાહી
આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચીફ સાયન્ટિસ્ટ ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે ભારતમાં કોરોનાની સ્થિતિ સ્થાનિક સંક્રામક રોગ એટલે કે એન્ડમિક બનવા લાગી છે. એટલે કે એક એવી સ્થિતિ જ્યાં સામાન્ય અને મધ્યમ સ્તરના સંક્રમણનો ફેલાવો શક્ય છે. આ વર્ષની શરૂઆતમાં એક રિપોર્ટમાં કહેવાયું કે કોરોના સંક્રમણ ધીરે ધીરે સંક્રામક રોગમાં ફેરવાઈ રહ્યું છે જેથી વૈશ્વિક આબાદીના કેટલાક ભાગમાં તેનો ફેલાવો ચાલુ રહેશે.
શું છે કોરોના એન્ડમિકનો મતલબ
એન્ડમિકનો અર્થ છે એક એવી બીમારી જે હંમેશા કાયમ રહે. વાયરોલોજીસ્ટ ડોક્ટર શાહિદ જમીલના આધારે ઈન્ફ્લુએન્ઝા પણ એક સ્થાનિક બીમારી છે. ફક્ત તે વાયરસને હંમેશા માટે ખતમ કરી શકાય છે જે વાયરસ જાનવરોમાં જોવા મળતા નથી. ચેચક અને પોલિયો જેવી બીમારીઓના વાયરસ માનવ શરીરમાં ફેલાયા છે પણ રિંડર પેસ્ટ જાનવરનો વાયરસ છે. એટલે કે વાયરસ કેટલાક જાનવરોમાં હંમેશા માટે રહે છે જેવા કે ચામાચિડિયા, ઉંટ અને બિલાડી માનવ શરીરમાં ઈમ્યુનિટીનું સ્તર નબળું પડતા જ ફરીથી હુમલો કરીને સંક્રમણ ફેલાવી શકે છે.