એક સર્વે અનુસાર, સેલફોનને ટચ ફેલાઈ શકે છે કોરોના, જાણો કઈ રીતે સેનેટાઈઝ કરવો મોબાઈલ?
હજારો વાર ટચ થાય છે ફોન
ફેલાઈ શકે છે કોરોના વાયરસ
ફોનને કેમ કરવો સેનેટાઈઝ?
કોરોના વાયરસના આ દિવસોમાં દરેક માણસ સાવધાન છે, ખાસકરીને જ્યારે આપ ઘરની બહાર નીકળો છો તો તમામ બાબતોનું ધ્યાન રાખો છો. માસ્ક પહેરો છો, ઉચિત દૂરી બનાવીને લોકોને માળો છો. પછી ઘરે પહોંચીને પણ પોતાના બધા સામાનને સેનેટાઈઝ કરો છો. પરંતુ શું તમને ખબર છે કે આટલી બધી સાવધાની રાખ્યા બાદ પણ તમે વાયરસને બહારથી પોતાના ઘરમાં લાવી શકો છો. અસલમાં, આનું એક મોટું કારણ તમારો મોબાઈલ ફોન છે, જે આપણે વગર ડીસઇન્ફેકટ કરીને જ વપરાશમાં લઈએ છીએ, જેથી કોવીડ 19 (COVID-19)ફેલાઈ શકે છે.
હજારો વાર ટચ કરીએ છીએ ફોન
એક સર્વે અનુસાર, આપણે ઓછામાંઓછી 2000 થી વધારે વાર પોતાના મોબાઈલ ફોનને ટચ કરીએ છીએ. આ જ કારણ છે કે હેલ્થ એક્સ્પર્ટસ મોબાઈલ ફોનને સંક્રમણનું મોટું માધ્યમ માને છે. એક મોટી ભૂલ એ પણ થાય છે કે લોકો ઓફીસ કે ક્યાંક બહારથી ઘરે આવીને મોબાઈલ સીધો બાળકોને થમાવી ડે છે. બાળક મોબાઈલની જીદ કરતુ હોય છે, લોકોને ખ્યાલ નથી રહેતો કે ફોન ડીસઇન્ફેકટ થયેલ નથી. કોરોના સંક્રમણ સિવાય બીજા વાયરસ, બેક્ટેરિયા માટે પણ મોબાઈલ એક મોટું વાહક સાબિત થઇ શકે છે. એટલે હંમેશા પોતાના મોબાઈલને સેનેટાઈઝ કરવું અત્યંત જરૂરી છે.
સેનેટાઈઝ કરતાં સમયે રાખો આ સાવધાની
જોકે ઘણા લોકો મોબાઈલને ડીસઇન્ફેકટ કરે છે પરંતુ આ ચક્કરમાં મોબાઈલથી હાથ ધોઈ બેસે છે, એટલે કે બોબૈલ ખરાબ થઇ જાય છે. આ એક મોટી તકલીફ છે. કોરોનાથી બચાવ માટે લોકો દિવસમાં સતત પોતાના હાથની સાથે મોબાઈલને પણ સેનેટાઈઝ કરી રહ્યા છે. પરંતુ મોબાઈલને ડીસઇન્ફેકટ કરવાની સાચી પ્રક્રિયા ખબર ન હોવાને કારણે મોટી સંખ્યામાં ફોન ખરાબ થવાની ફરિયાદો આવે છે.
મોબાઈલ યુઝર્સ કરે છે આ ફરિયાદો
મોબાઈલ ફોનના રિપેરીગ સેન્ટર પર દરરોજ લોકો સમસ્યાઓ સાથે પહોંચી જાય છે કે તેમનો ફોન ઓન નથી થઇ રહ્યો, અવાજ ઓછો આવી રહ્યો છે કે અવાજ આવતો જ નથી, ડિસ્પ્લે ખરાબ થઇ ગયું છે અથવા ટચ સ્ક્રીન કામ નથી કરી રહ્યું. અસલમાં, આ બધાનું સૌથી મોટું કારણ એ છે કે લોકો પોતાના મોબાઈલને સેનેટાઈઝ કરતા સમયે સેનેટાઇઝર સ્પ્રે કે સેનેટાઇઝર જેલનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા લોકો તો ફોનને ચારે બાજુ ફેરવીને સ્પ્રે મારે છે.
ખોટી રીતે ન કરો ડીસઇન્ફેકટ
આનાથી એ થાય છ્હે કે સ્પ્રે કરવાથી ફોનની અંદર પાણી ચાલ્યું જાય છે, જેનાંથી ફોનની અંદરની સીસ્ટમ ખરાબ થવા લાગે છે, આ નમી ફોનના ચાર્જીંગ પોઈન્ટ, સ્પીકર, ઈયરફોન પોઈન્ટથી અંદર જાય છે જેથી અવાજ ઓછો થઇ જાય છે કે બંધ થઇ જાય છે અથવા ઇયરફોનમાં અવાજ નથી આવતો કે પછી સ્ક્રીન ડિસ્પ્લેમાં ખરાબી આવી જાય છે. ઘણી વાર આ ભેજ સીધો ફોનની મેઈન ચીપ એટલે કે મધર બોર્ડને પણ નુકસાન પહોંચાડે છે જેથી ફોન ઓન જ નથી થતો તથા તેને ચેન્જ કરાવવું મોંઘુ પડી જાય છે.
મોબાઈલ ડીસઇન્ફેકટ કરવાની સાચી પ્રક્રિયા
હવે સવાલ એ છે કે મોબાઈલને ડીસઇન્ફેકટ કરવો કઈ રીતે જેથી આપણે કોવીડના ખતરાથી પણ બચ્યા રહીએ તથા આપનો મોબાઈલ પણ ખરાબ ન થાય, આ માટે સૌથી સારો રસ્તો છે કે આલ્કોહોલ બેસ્ડ વાઈપ્સનો વપરાશ કે જે બજારમાં આસાનીથી મળી જાય છે, આમાં તમારે સેનેટાઈઝ સ્પ્રે નથી કરવો પડતો પરંતુ આ વાઈપ્સ દ્વારા મોબાઈલની સ્ક્રીન તથા તેના બેક પેનલને લુંછી શકો છો કેમકે આ આલ્કોહોલ બેસ્ડ વાઈપ્સ જલ્દી સુકાઈ જાય છે એટલે ફોનની અંદર ભેજ જવાનો ખતરો પણ નથી રહેતો.
મખમલના કપડાનો વપરાશ કરો
જો તમારી પાસે આલ્કોહોલ બેસ્ડ વાઈપ્સ નથી તો તમે ડીસઇન્ફેકટ સ્પ્રેને સીધો મોબાઈલ પર ન છાંટો પરંતુ મખમલના કપડા અથવા સાફ કોટનના ટુકડા પર છાંટીને ૧૦ સેકન્ડ બાદ તેનાંથી ધીરે ધીરે મોબાઈલની સ્ક્રીન તથા બેક પેનલને સાફ કરો. આ દરમિયાન કોટનને સ્પીકર, ચાર્જીંગ પોઈન્ટ કે ઈયરફોન પોઈન્ટ પર ન ફેરવો.