આજથી એટલે કે 15 જુલાઈથી COVID 19નો બૂસ્ટર ડોઝ મફતમાં આપવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. જે સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર 75 દિવસ સુધી ચલાવવામાં આવશે.
ભારતમાં કોરોનાનો પ્રિકોશન ડોઝ મફતમાં મળશે
આગામી 75 દિવસ સુધી મળશે બુસ્ટર ડોઝ
ત્રીજો ડોઝ લેવા માટે લોકો નિરુત્સાહી
ભારતમાં, આજથી એટલે કે 15 જુલાઈથી, કોરોના (COVID 19) નો બૂસ્ટર ડોઝ મફતમાં આપવાનું શરૂ થઈ ગયું છે. આ અગાઉ ત્રીજા ડોઝ માટે લોકોને પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર PM મોદી સરકારે આગામી 75 દિવસ સુધી મફતમાં આપવાની જાહેરાત કરી છે.
આ નિર્ણય થોડા દિવસો પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. આ નિર્ણય ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે કામ કરશે.
રસીકરણને ઝડપ મળશે
સરકારના આ નિર્ણય બાદ દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોનાની રસી મફતમાં લગાવી શકાશે. સરકાર દ્વારા પણ આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે, કોરોનાની પ્રથમ અને બીજી રસીના ડોઝ માટે લોકોમાં જેવો ઉત્સાહ હતો, તેટલો જ બૂસ્ટર ડોઝને લઈને જોવા મળ્યો ન હતો.
બુસ્ટર ડોઝ લેવા નારે નિરુત્સાહ
તેનું એક મોટું કારણ એ પણ હતું કે બંને ડોઝ સામાન્ય લોકોને મફતમાં આપવામાં આવી રહ્યા હતા. પરંતુ ત્રીજા ડોઝ માટે તેમને પૈસા ચૂકવવા પડ્યા હતા.
તો બીજી તરફ કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણે, લોકોમાં આવી બેદરકારી જોવા મળી હતી. જો કે, ઘણા આરોગ્ય નિષ્ણાતો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે લોકોએ તેમના સ્વાસ્થ્ય સાથે રમત ન કરવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે બૂસ્ટર ડોઝ મેળવવો જોઈએ, કારણ કે દેશમાંથી કોરોના નાબૂદ થયો નથી. હજુ ગઈકાલે જ 20 હજાર જેટલા કોરોના કેસ નોંધાયા હતા.
199 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં રસીના 199 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ત્રીજા એટલે કે પ્રિકોશન ડોઝની સંખ્યા લગભગ 5 કરોડ છે. હવે એવી અપેક્ષા છે કે આગામી થોડા દિવસોમાં આ આંકડો ઝડપથી વધશે. ઉલ્લેખનીય છે કે 18-59 વર્ષની વય જૂથના લોકો માટે પ્રિકોશન ડોઝ આ વર્ષે 10 એપ્રિલના રોજ શરૂ થયા હતા.