બ્રાઝિલના આંકડા અનુસાર અહીં કુલ 11,363,380 એક્ટિવ કોરોનાના કેસ અને મોતની સંખ્યા 2,75,105ને પાર પહોંચી છે. હવે તે વિશ્વમાં બીજા નંબરનો સંક્રમિત દેશ બન્યો છે.
બ્રાઝિલમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ દિવસોમાં બ્રાઝિલમાં રોજના 70,000થી વધારે કેસ આવી રહ્યા છે અને 2000 જેટલા મોત થઈ રહ્યા છે. શનિવારે બ્રાઝિલ, ભારતને પાછળ રાખીને દુનિયાનો બીજો સૌથી વધુ સર્વાધિક સંક્રમિત દેશ બન્યો છે. મોતના કેસમાં પહેલાથી તે બીજા નંબરે હતો. કોરોના સંક્રમિતોની સંખ્યામાં અમેરિકા આજે પણ પહેલા સ્થાને કાયમ છે.
WHOએ જાહેર કરી ચિંતા
બ્રાઝિલની સ્થિતિ પર WHOએ ચિંતા જાહેર કરી છે. તેનું કહેવું છે કે બ્રાઝિલે મહામારીની સ્થિતિને કાબૂ કરવા માટે ગંભીર પગલાં લેવાની જરૂર છે. આંકડા અનુસાર બ્રાઝિલમાં હાલમાં કોરોનાના 11,363,380 એક્ટિવ કેસ છે અને સંક્રમણના કારણે મોતની સંખ્યા 2,75,105 થઈ ચૂકી છે.
શા માટે વધી રહ્યું છે બ્રાઝિલમાં કોરોનાનું સંક્રમણ
મળતી માહિતી અનુસાર વિશેષજ્ઞ સંક્રમિતો અને મોતની વધતી સંખ્યા પાછળ કોરોનાના વેરિઅન્ય પી.1 જેને બ્રાઝિલી વેરિઅન્ટ પણ કહેવાય છે તેને જવાબદાર માની રહ્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે કોરોનાનો નવો વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકોને ફરીથી પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. જે પહેલાથી સંક્રમિત થઈ ચૂક્યા છે તેમની પર આ વાયરસ ઝડપથી અસર કરી રહ્યો છે.
વેક્સીનેશનની થશે અસર
નેશનલ એસોસિએશન ઓફ હેલ્થ સેક્રેટરીઝની તરફથી આવેલા કેટલાક નિવેદનમાં કહેવાયું છે કે બ્રાઝિલમાં જે રીતે મહામારી વધી રહી છે તે રીતે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળી રહી છે. જલ્દી દેશના દરેક ખૂણામાં આ સ્થિતિ જોવા મળશે. વેક્સીનેશનનો ઉલ્લેખ કરતાં કહેવાયું છે કે જે રીતે વેક્સીનેશનની ગતિ ચાલુ છે તેને જોઈને લાગે છે કે સ્થિતિ સુધરશે નહીં.
રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો જવાબદાર
બ્રાઝિલની આ સ્થિતિ માટે અનેક જાણકારોનું કહેવું છે કે તેને માટે રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો જવાબદાર છે. તેમની પર કોરોના વાયરસને ગંભીરતાથી ન લેવાના આરોપ લાગી ચૂક્યા છે. બોલ્સોનારો લોકડાઉનનો વિરોધ કરવાની સાથે અનેક પાબંધી લાગૂ કરી જેનાથી રાજ્યોના લોકડાઉન કરવાનું મુશ્કેલ બન્યું હતું. ફાઈઝર અને બાયોએનટેકની વેક્સીન પર પણ રાષ્ટ્રપતિએ નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું કે આ વેક્સીન લોકોને મગર મચ્છમાં બદલી શકે છે.