EPFO Covid19 advance: PF અકાઉન્ટ હોલ્ડર્સ 3 મહિનાની બેઝિક સેલરી અથવા તેમના PF Accountમાં જમા રકમના 75% સુધીની રકમ કાઢી શકાય છે.
EPFOએ આપી EPF અકાઉન્ટ પરથી બીજીવાર ફંડ ઉપાડવાની મજૂરી
ઈપીએફ અકાઉન્ટ પરથી રકમ ઉપાડવાની ઓનલાઈન પ્રોસેસ
આશ્રિત પરિવારોને પણ અપાઈ રહ્યું છે પેન્શન
કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે એમ્પ્લોયઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ પોતાના મેમ્બર્સને એમ્પ્લોયઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) અકાઉન્ટથી બીજી વાર એડવાંસ ઉપાડવાની મંજૂરી આપી દીધી છે. જો તમારે મહામારી વચ્ચે પૈસાની જરૂર પડે તો તમે PF અકાઉન્ટ પરથી એડવાંસ રકમ કાઢી શકો છો. એટલે કે PF અકાઉન્ટ હોલ્ડર્સ 3 મહિનાની બેઝિક સેલરી કે એમના PF આકાઉન્ટમાં જમા રાશિના 75% સુધીની રકમ કાઢી શકે છે. covid 19 મહામારી દરમિયાન EPF મેમ્બર ખાસ કરીને એ લોકો માટે જેમની મંથલી સેલરી 15,000 રૂપિયાથી ઓછી છે, તેમને ઘણી મદદ મળે છે.
કેવી રીતે ઉપડશો PF અકાઉન્ટ પરથી એડવાંસ?
જો આઈપીએફઓ અકાઉન્ટ હોલ્ડર એડવાંસ સુવિધાનો ફાયદો લેવા ઈચ્છે છે તો તેઓ આઇપીએફઓની વેબસાઇટના માધ્યમથી ક્લેમ કરી શકે છે. આ ઉપરાંત, ઉમંગ એપના માધ્યમથી પણ PF ખાતા પરથી એડવાંસ રકમ માટે અપ્લાય કરી શકાય છે.
ઈપીએફ અકાઉન્ટ પરથી રકમ ઉપાડવાની ઓનલાઈન પ્રોસેસ
EPF Account પરથી ઓનલાઈન પૈસા કાઢવા માટે તમારો એક ઉનીવર્સલ અકાઉન્ટ નંબર (UAN) હોવો જોઈએ.
એટલું જ નહીં Aadhaar સાથે લિન્ક મોબાઈલ નંબર પણ એક્ટિવ હોવો જોઈએ.
આ ઉપરાંત Aadhaar, PAN તથા અન્ય બેન્ક ડિટેલ્સ વેરિફાય થવા જોઈએ.
ત્યાર બાદ ઓનલાઈન સર્વિસીઝ ઑપ્શનમાં જઇને ક્લેમ (ફોર્મ-31,19,10C, 10D) પર ક્લિક કરો.
તમારા બેન્ક આકાઉન્ટના આંતના 4 અંક નાંખો તથા વેરીફાય કરો.
ત્યાર બાદ Proceed for Online Claim પર ક્લિક કરો.
હવે આઉટબ્રેક ઓફ પેંડેમિક(covid-19) સિલેકટ કરો તથા જેટલી રકમની જરૂર છે તે નાંખો. બેન્ક આકાઉન્ટની ચેકની સ્કેન કોપીને અપલોડ કરો.
Get Aadhaar OTP પર ક્લિક કરો.
ત્યાર બાદ તમારો ક્લેમ સબમિટ થઈ જશે તથા 3 દિવસની અંદર તમારા બેન્ક આકાઉન્ટમાં પૈસા ક્રેડિટ કરવામાં આવશે.
આશ્રિત પરિવારોને પણ અપાઈ રહ્યું છે પેન્શન
શ્રમ મંત્રાલય અનુસાર, જે પરિવારોએ કોવિડને કારણે ઘરના કમાવાવાળા સદસ્યને ખોઈ દીધા છે, તે પરિવારોની મદદ કરવા માટે પણ કેન્દ્ર સરકારે ઘણી ઘોષણા કરી હતી. આ ઉપયોની હેઠળ, કોવિડને કારણે પોતાનો જીવ ગુમાવવાવાળા લોકોના પરિવારોને પેન્શન આપવામાં આવશે તથા તેની સાથે જ વધી ગયેલ વીમા વળતર પણ આપવામાં આવશે. આ વ્યક્તિઓના આશ્રિત પરિવારોને હાજર નિયમો અનુસાર પેન્શન મળશે. જેમાં તેમણે સંબંધિત કર્મચારી કે કામગારનો એવરેજ રોજિંદો પગાર કે પરિશ્રમિકના 90% પેન્શનનો લાભ આપવામાં આવશે. જેનો ફાયદો 24 માર્ચ 2020 થી 24 માર્ચ 2022 સુધી આ પ્રકારના બધા જ મામલાઓ માટે લાગુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અધિકતમ વીમા લાભની રકમ પણ 6 લાખ રૂપિયાથી વધીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે.