કોરોનાને લઈને અવનવા દાવા કરનાર વિશ્વ આરોગ્ય સંગઠને ફરી એક વાર ગંભીર ચેતવણી આપી છે.
કોરોનાને લઈને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની વધુ એક ચેતવણી
WHO ચીફ ટેડ્રોસ ગેબ્રેયેસસે આપી ચેતવણી
કહ્યુ કે કોરોનાની અસર દાયકા સુધી રહેશે
દુનિયામાં કોરોનાનો ફેલાવો ઘટ્યો પણ અસર રહેશે મોડે સુધી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ચીફ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસે કહ્યું કે વિશ્વમાં કોરોનાના ફેલાવાની ગતિમા મોટો ઘટાડો આવ્યો હોવા છતાં પણ તેની અસર દાયકાઓ સુધી રહેશે. તેમણે કહ્યું કે કોરોનાની સૌથી વધારે અસર સંવેદનશીલ લોકો પર પડશે અને મહામારી જેટલી લાંબી ચાલશે તેટલી વધારે અસર પડશે. તેમણે કહ્યું કે હાલમાં કોરોના વાયરસના અલગ-અલગ વેરિએન્ટ સામે આવી રહ્યા છે, જે દુનિયાભરની સરકારોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.
સૌથી સંવેદનશીલ લોકોમાં કોરોનાની અસર દાયકાઓ સુધી રહેશે
ડો.ટેડ્રોસે જણાવ્યું હતું કે, સૌથી સંવેદનશીલ લોકોમાં કોરોનાની અસર દાયકાઓ સુધી રહેશે. હાલમાં કોમનવેલ્થ દેશોની માત્ર 42 ટકા વસ્તીને જ રસીકરણનો ડબલ ડોઝ મળ્યો છે અને વિશ્વભરના દેશોમાં રસીકરણમાં વ્યાપક અસમાનતા છે. વિશ્વના ગરીબ દેશોમાં રસીકરણની ગતિ એકદમ ધીમી છે. આ કારણે લોકોમાં ભય છે કે તેના કારણે રોગચાળો દૂર થતાં વાર ન લાગે.
બદલાતા વાયરસ માટે બદલાતી વેક્સિની જરૂરિયાત
WHOના વડાએ કહ્યું, "કોમનવેલ્થમાં આફ્રિકન દેશોએ સરેરાશ રસીકરણ દર માત્ર 23 ટકા પ્રાપ્ત કર્યો છે. આ અંતરને દૂર કરવું એ ડબ્લ્યુએચઓ માટે ટોચની પ્રાયોરિટી છે. આવું કરવું માત્ર રોગચાળાને નિયંત્રિત કરવા અને જીવન બચાવવા માટે જ નહીં, પરંતુ આજીવિકાની સુરક્ષા અને પુન:પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે પણ જરૂરી છે." આ પહેલા, ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી હતી કે જેમ જેમ વાયરસનું સ્વરૂપ બદલાય છે, તે પ્રકારની રસીને પણ બદલવાની જરૂર છે. ડબ્લ્યુએચઓના વડાએ કહ્યું કે સાર્સ-કોવ -2 ના કેટલાક પ્રકારો રસીમાંથી એન્ટિબોડીઝ સાથે વ્યવહાર કરવામાં સક્ષમ છે.
સમગ્ર વિશ્વમાં રસીકરણ થઈ રહ્યું છે
વિશ્વભરમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે રસીકરણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે રસીકરણ દ્વારા કોરોનાનો સામનો કરી શકાય છે. આ કારણે વિશ્વના ઘણા દેશોમાં લોકોને રસી આપવામાં આવી રહી છે. સાથે જ કોરોનાના જે નવા વેરિએન્ટ વારંવાર આવી રહ્યા છે તેને પહોંચી વળવા માટે લોકોને બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. ભારતમાં પણ લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. તે પ્રિકોક્શન ડોઝના નામે આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવી રહ્યું છે.