કોરોનાના મામલામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, વિશ્વના અનેક રાષ્ટ્રો વેક્સિન માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. જો કે, ઘણી જગ્યાએ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ટૂંક સમયમાં કોરોના સંકટ ખતમ થઈ જશે તો આપણે આ માનસિકતા બદલવાની જરૂર છે.
સીરમ ઈસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO પૂનાવાલાનો મોટો દાવો
વિશ્વને 20 વર્ષ સુધી કોરોના વેક્સિનની પડશે જરૂર
20 વર્ષ સુધી કોરોનાનું સંક્રમણ થતું રહેશે ત્યારે વેક્સિનની જરૂર
પડશે
ઉલ્લેખનીય છે કે, દુનિયાની સૌથી મોટી વેક્સિન ઇન્ટિટ્યૂટના CEO એદર પૂનાવાલાનું કહેવું છે કે, દુનિયામાં આગામી 20 વર્ષ સુધી કોરોનાનું સંક્રમણ યથાવત રહેશે અને ત્યાં સુધી કોવિડ-19 રસીની પણ જરૂરીયાત રહેશે.
શું કહ્યું પૂનાવાલાએ
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આદર પૂનાવાલાએ બીઝનેસટૂડે સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ઇતિહાસમાં એવું ક્યારેય જોવા મળ્યું નથી કે એક જ વારમાં રસીની જરૂરિયાત દૂર થઈ ગઈ છે. તેમણે કહ્યું, 'કેટલા વર્ષોથી ફલૂ, ન્યુમોનિયા, શીતળા અને પોલિયોની રસી ચાલે છે, જેમાંથી એક પણ અટક્યું નથી.' તેમણે કહ્યું કે 100 ટકા વસ્તી રસી અપાય તો પણ કોવિડ -19 રસીની જરૂરિયાત દૂર થશે નહીં.
રસી શું કરે છે
તેણે કહ્યું, 'રસી એ કોઈ નક્કર વિજ્ઞાન નથી. તે તમારી ઇમ્યુનિટી વધારે છે. તે તમને બચાવે છે. તે રોગની અસર ઘટાડે છે. પરંતુ તે 100 ટકા કેસોમાં આ રોગના ચેપને રોકી શકશે નહીં. જો 100 ટકા લોકોને રસી આપવામાં આવે તો પણ, ભવિષ્યમાં રસીની જરૂર પડશે.
કંપની પાંચ પ્રકારના રસી બનાવશે
2021-22 ના અંત સુધીમાં, સીરમ ઇન્ટિટ્યૂટ વિશ્વ માટે પાંચ વિવિધ કોવિડ -19 રસીઓના લગભગ 1 અબજ ડોઝનું ઉત્પાદન કરશે. પૂનાવાલાએ કહ્યું, 'અમારી યોજના દર ક્વાર્ટરમાં એક રસી શરૂ કરવાની છે. તેની શરૂઆત કોવિશિલ્ડથી થશે જે કદાચ આવતા વર્ષે આવશે. અમને તેનું લાઇસન્સ AstraZeneca પાસેથી મળ્યું છે.
રસીનું ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો
નોંધપાત્ર રીતે, કોવિશિલ્ડનો વિકાસ યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની જેનર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યો છે અને તેને એંગ્લો-સ્વીડિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા પરવાનો મળ્યો છે. અત્યારે, આ રસીનું ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો ભારતમાં લગભગ 1,600 લોકો પર ચાલી રહ્યો છે.
પૂનાવાલાએ આપ્યું નિવેદન
તે આવતા વર્ષે કોઈપણ સમયે લોન્ચ થઈ શકે છે. પૂનાવાલાએ કહ્યું કે, અમે રસીના 2 થી 3 કરોડ ડોઝ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે અને વધુમાં વધુ દર મહિને ઉત્પાદને 7 થી 8 કરોડ સુધી વધારી દીધું છે.