2021માં કોરોનાની બીજી લહેર બાળકોને પણ સંક્રમિત કરી રહી છે. કોરોનાની બીજી લહેરમાં મરનારાની સંખ્યા વધી છે અને હવે વિશેષજ્ઞોનું કહેવું છે કે દેશમાં આવનારી કોરોનાની ત્રીજી લહેર બાળકોને સંક્રમિત કરશે.
દેશમાં જલ્દી આવશે કોરોનાની ત્રીજી લહેર
ત્રીજી લહેરમાં બાળકો થશે સંક્રમિત
જાણો બાળકોને કોરોનાથી બચાવવાના ઉપાયો
શા માટે છે બાળકો પર ખતરો
કોરોનાની દેશમાં ત્રીજી લહેરની ઝડપથી આવવાની આશંકા છે ત્યારે બાળકો તેની ઝપેટમાં અત્યારથી જ આવી રહ્યા છે. ત્રીજી લહેર આવતા સુધી દેશમાં અનેક વયસ્કને પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે જેથી બાળકોની તુલનામાં તેઓ કોરોનાથી સુરક્ષિત રહેશે.
બાળકોને શા માટે નથી મળી રહી વેક્સીન
કોરોના વેક્સીને ફક્ત 16 વર્ષથી વધારે ઉઁમરના લોકો પર ટેસ્ટ કરાય છે. આ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને આ વેક્સીન ન આપવાની સલાહ આપી છે. બાળકોને કોરોનાથી સૌથી વધારો ખતરો હોવા છતાં ડબલ્યૂએચઓએ બાળકોને વેક્સીન ન આપવાની વાત કહી છે.
બાળકોને ત્રીજી લહેરથી બચાવવા માતા પિતાએ રાખવું આ વાતનું ધ્યાન
કોરોના મહામારીમાં ઇમ્યુનિટીને શરીરમાં ખાસ મહત્વ અપાઈ રહ્યું છે. જો શરીર સ્વસ્થ છે તો ઈમ્યુનિટી મજબૂત રહેશે અને બીમારીઓ ઘટશે. મલ્ટીવિટામિન પણ કોરોનાથી લડવાનું કામ કરી રહી નથી પણ ઇમ્યુનિટીને મજબૂત કરીને તમે પોતાને કોરોના મહામારીથી બચાવી શકો છો. આ સિવાય તમે બાળકોને હેલ્ધી ફૂડ આપો જેમાં ફળ, શાક, ફ્રૂટ, જ્યૂસ અને ઈંડા સામેલ હોય. જે બાળકોની ખાન પાનની આદતો સારી હોય છે તેમને કોરોનાથી વધુ નુકસાન થતું નથી. નબળા અને કુપોષણનો શિકાર બનેલા બાળકો માટે કોરોના ખતરનાક સાબિત થાય છે. આ માટે બાળકોને હેલ્ધી ખાવાનું આપો અને સાથે બોડીને સારું રાખો. તેનાથી ઇમ્યુનિટી સારી રહી શકે છે.