કોરોના વાયરસના N440K વેરિઅન્ટ દ.ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો પાસે એ વાતના પુરાવા છે
કોરોના વાયરસનો N440K વેરિઅન્ટ દ.ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે
નવો વેરિઅન્ટ દેશના કેટલાક રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે
વૈજ્ઞાનિકો પાસે નવા વેરિએન્ટના પુરાવા છે
નવો વેરિઅન્ટ દેશના કેટલાક રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે
હૈદરાબાદ સ્થિત વૈજ્ઞાનિક તથ ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR)ના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજી (CCMB)ના વૈજ્ઞાનિકોએ પોતાના અધ્યયનમાં કહ્યું છે કે કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ દેશના કેટલાક રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આના પર વિશેષ નજર રાખવાની જરુર છે. CCMBના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે દુનિયાભરમાં મળેલા કોરોના વાયરસના વેરિએન્ટનો ભારતમાં ઓછો પ્રભાવ દોવા મળી રહ્યો છે. પરંતુ આની પાછળનું એક કારણ એ હોઈ શકે છે કે મર્યાદિત સંખ્યામાં વાયરસની સિન્કેસિંગ ન થયું હોય. દેશમાં કોરોના વાયરસના પ્રસાર અને તેમના જીનોમના અધ્યયન તથા વિશ્લેષણ માટે CCMBના વૈજ્ઞાનિકો અગ્રિમ મોર્ચા પર કામ કરી રહ્યા છે.
અમારી પાસે એ વાતના પુરાવા છે
સંસ્થાના ડાયરેક્ટર રાકેશ મિશ્રાએ કહ્યું કે અમારી પાસે એ વાતના પુરાવા છે કે કોરોના વાયરસના N440K વેરિઅન્ટ દ.ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સટીક અને યોગ્ય સમયે નવા વેરિએન્ટની ઓળખથી અમને ઘણી મદદ મળી શકે છે. આને કોઈ પણ સ્થિતિમાં પહોંચી વળવા માટે મદદ મળશે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસની વિરુદ્ધ રસીની જરુર છે. પરંચુ સોશિયલ વેક્સીન, જેમ કે માસ્ક, હેન્ડ હાઈઝિન અને શારીરિક અંતરનું પાલન બહું જરુરી છે. જે મહામારીની વિરુદ્ધ અસરકારક હથિયાર છે. અભ્યાસમા વૈજ્ઞાનિકોએ 5 હજારથી વધારે કોરોના વેરિએન્ટનું વિશ્લેષણ કર્યુ છે અને પોતાના નિષ્કર્ષ રજુ કર્યા છે.
1 કરોડ 8 લાખથી વધારે ટીકાકરણ
બીજી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 36લાખ 11 હજાર 670 ફ્રન્ટલાઈન કર્મચારીઓને કોરોનાની રસી લાગી છે. મંત્રાલય મુજબ 20 ફેબ્રુઆરી સાંજના 6 વાગ્યા સુધી 1 કરોડ 8 લાખ 38 હજાર 323 લોકોને કોરોનાની રસી લાગી ગઈ છે. આમાં સ્વાસ્થ્ય કર્મીઓની સંખ્યા 72 લાખ 26 હજાર 940 સ્વાસ્થ્ય કર્મી રસીનો બીજો ડોઝ મેળવી ચૂક્ય છે.
5 રાજ્યોએ ચિંતા વધારી
બીજી તરફ મંત્રાલયે કહ્યું કે કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોવિડ 19ના નવા મામલામાં વધારો થયો છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ગત 7 દિવસોમાં છત્તીસગઢમાં વાયરસ સંક્રમણના રોજના મામલામાં વૃદ્ધિ થઈ છે. ગત 24 કલાકમાં રાજ્યોમાં 259 નવા મામવા સામે આવ્યા છે. કેરળમાં રોજના સંક્રમણના મામલામાં વધારો થઈ રહ્યો છે ગત અઠવાડિએ એક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં ઝડપથી વધારો થયો છે. આ શનિવારે દેશમાં સંક્રમણના મામલામાં વધારો થયો છે.