ગાંધીનગરમાં રૂપાલની પલ્લીને લઇને મોટા સમાચાર મળી રહ્યાં છે. રૂપાલની પરંપરાગત પલ્લીની વિધી યોજવામાં આવશે. જોકે રૂપાલની પલ્લીમાં ઘીનો અભિષેક કરવામાં આવશે નહીં. પહેલીવાર રૂપાલની પલ્લીમાં ઘીની જગ્યાએ માત્ર રોકડ દાન સ્વીકારવામાં આવશે. રૂપાલની પલ્લીમાં નક્કી કરેલા 18 સમાજના લોકો જ ભાગ લઇ શકશે. અન્ય ગામના આગેવાનો તેમા ભાગ લઇ શકશે નહીં. જોકે શરદ પૂનમ બાદ અન્ય ગામના લોકો દર્શન કરી શકશે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પલ્લી વિધિવત રીતે યોજાશે
માત્ર 18 સમાજના લોકો જ ભાગ લઈ શકશે
પહેલીવાર રૂપાલની પલ્લીમાં ઘીની જગ્યાએ માત્ર રોકડ દાન સ્વીકારાશે
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રૂપાલની પલ્લી વિધિવત્ રીતે યોજાશે. આ અંગે મંદિરના સત્તાધીશોએ જાહેરાત કરી છે કે સરકારી ગાઈડલાઈન અને મહામારીને ધ્યાને રાખી આ વર્ષે શુદ્ધ ઘીનો અભિષેક નહીં થાય. સાથે પલ્લીમાં માત્ર 18 સમાજના લોકો જ ભાગ લઈ શકશે, જ્યારે અન્ય ગામના લોકો શરદ પૂનમ બાદ દર્શનનો લાભ લઈ શકશે.
સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને પલ્લી યોજીશુંઃ મંદિર ટ્રસ્ટી
મહત્વનું છે કે, દર વર્ષે રૂપાલમાં યોજાતા લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. જોકે આ વર્ષે કોરોનાના કારણે લોકમેળાનું આયોજન પણ રદ્દ કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલના જણાવ્યા, અનુસાર, સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને પલ્લી યોજીશું. ભીડ ન થાય અને પલ્લી પણ નીકળે તેવી ગ્રામજનોની માંગણી છે.
પલ્લીમાં ઘીની જગ્યાએ માત્ર રોકડ દાન સ્વીકારાશે
દર વર્ષ હજારો ટન ઘી ભોગ અર્પણ થતી રૂપાલની પલ્લીના પહેલીવાર માનતાના ઘીના બદલે માત્ર મંદિરના વિકાસ માટે દાન સ્વીકાર કરવામાં આવશે. રૂપાલમાં ગામમાં વસતા 18 સમાજના લોકો ભેગા મળીને માતાજી પલ્લીમાં સેવા આપશે.
અંતિમ નિર્ણય કલેક્ટર લેશે
હાલ વરદાયિની મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રૂપાલની પલ્લી યોજવા માટે ઔપચારીક માળખુ તૈયાર કરવામાં આવ્યું છે. જોકે જિલ્લા પ્રાંત અધિકારી રૂપાલના આગેવાનો સાથે બેઠક કરશે. રૂપાલની પલ્લી યોજવા બાબતે આખરી નિર્ણય કલેકટર દ્વારા લેવામાં આવશે. તો આ વર્ષે લોકમેળા યોજવા પર પ્રતિબંધ છે.