દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે એક વર્ષથી હાહાકાર થઈ રહ્યો છે અને હજુ આપણે મહામારીમાંથી બહાર આવી શક્યા નથી. કોરોના વાયરસની રસીના કારણે ઘણા બધા દેશોનાં નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે પણ નૉર્વેથી કોરોના વેક્સિનને લઈને ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે.
નૉર્વેમાં કોરોના વાયરસની વેક્સિનથી 23ના મોત
કોરોના વાયરસની રસીનો એક જ ડોઝ લીધો હતો
મરનાર લોકોની ઉંમર 80 વર્ષથી ઉપર
કોરોના વેક્સિનથી જ ચિંતા વધી
દુનિયાભરના કેટલાય દેશોમાં મહામારી સામે લડવા માટે મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. કરોડો લોકોને કોરોના વાયરસની રસીનો ડોઝ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે નાગરિકોને જે રાહત મળી છે તેમાં ગંભીર સમાચાર સામે આવ્યા છે.
હાલમાં જ થઈ રસીકરણની શરૂઆત
નૉર્વેમાં કોરોના વાયરસ વેક્સિનના ડોઝ લીધા બાદ 23 લોકોના મોત થયા છે. જોકે મરનાર વ્યક્તિઓમાં મોટા ભાગનાઆ વૃદ્ધ છે. નોંધનીય છે કે ન્યૂયરના ચાર દિવસ પહેલા જ આ દેશમાં કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે અને અત્યાર સુધી 33 હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યા છે.
વૃદ્ધો માટે રસીકરણથી રિસ્ક : સરકાર
નૉર્વેમાં જે લોકોના મોત થયા છે તેમણે વેક્સિનની પહેલી ડોઝ જ લીધી હટી અને તે બાદ તેમની તબિયત ખરાબ થઈ ગઈ. સરકાર કહ્યું છે કે જે લોકો બીમાર અને વૃદ્ધ છે તેમને રસીકરણ ગંભીર બની શકે છે.
13ની મોત વેક્સિનના કારણે જ થઈ હોવાની પુષ્ટિ, બાકીની તપાસ ચાલુ
મરનાર લોકોમાં 23માંથી 13 લોકોના મોત કોરોના વાયરસની વેક્સિનથી જ થઈ છે જ્યારે અન્ય મોત મામલે તપાસ કરવામાં આવી રહી છે. નૉર્વેયિન મેડિસિન એજન્સી અનુસાર 13 લોકોના પરિણામ આવી ગયા છે અને તેમણે સાઈડ ઈફેક્ટ્સ થઈ હતી. સામે વેક્સિનથી આડઅસર થઈ હોવાના 29 કેસ સામે આવી ચૂક્યા છે.
નૉર્વેમાં જે લોકોના મોત થાય છે તેમાં બધા ની ઉંમર 80થી ઉપર છે અને કેટલાક તો 90 વર્ષના છે. બધા જ વૃદ્ધોના મોત નર્સિંગ હોમમાં જ થઈ છે અને પ્રાથમિક માહિતી અનુસાર વેક્સિનના કારણે પહેલા આ લોકોને સામાન્ય આડઅસર દેખાઈ અને ધીમે ધીમે તે ગંભીર થઈ ગઈ.
ચીને કરી આ કાર્યવાહી
નૉર્વેમાં આ પ્રકારે થતી મોતના કારણે દુનિયાના ઘણા બધા દેશોએ તેની નોંધ લીધી છે. ચીને પોતાના દેશમાં સલાહ આપી છે કે જ્યાં જ્યાં ફાઇઝરની વેક્સિન વૃદ્ધોને આપવામાં આવી રહી હોય તેને રોકી દેવામાં આવે. બીજ તરફ હવે ફાઇઝરની આ વેક્સિન પર ગંભીર સવાલો પણ દુનિયાના વિવિધ દેશોમાંથી ઉઠી રહ્યા છે.