વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને અનેક પ્રકારની વેક્સીન બનવાની તૈયારીઓ થઈ રહી છે. કેટલીક વેક્સીનનું ટ્રાયલ ત્રીજા સ્ટેજમાં છે. આ સમયે વેક્સીનને લઈને એક માઠા સમાચાર આવ્યા છે. વેક્સીન વિકસિત કરવા માટે કામ કરી રહેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના માટે પ્રભાવી વેક્સીન સામાન્ય લોકો માટે 2021માં ઉનાળા પહેલા આવે તેવી સંભાવના નથી.
કોરોના મહામારી વચ્ચે વધુ એક માઠા સમાચાર
2021ના ઉનાળા પહેલાં વેક્સીન આવવાની શક્યતા નહીં
વેક્સીન વિશેષજ્ઞોએ કર્યો આ મોટો દાવો
કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના (McGill University) અનુસંધાનકર્તાઓએ વેક્સીન વિકસિત કરવા માટે કામ કરી રહેલા 28 વિશેષજ્ઞોને લઈને સર્વેક્ષણ કર્યો છે. જે વિશેષજ્ઞોનો આ સર્વેક્ષણમાં સમાવેશ કર્યો હતો તેમાં મોટાભાગના કેનેડા કે અમેરિકાના વૈજ્ઞાનિક હતા. જે છેલ્લા 25 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.
આગામી વર્ષે ગરમીઓમાં વેક્સીન વિકસિત થવાની સૌથી સારી સ્થિતિ
મેકગિલ યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન કિમ્મેલમેને કહ્યું કે અમારા સર્વેક્ષણમાં વિશેષજ્ઞોએ રસી બનાવવાને લઈને અંદાજ લગાવ્યો છે કે અમેરીકી સરકારી અધિકારીઓ દ્વારા 2021ની શરુઆતમાં આપેલા સમયસીમાની અપેક્ષાથી ઓછા આશાવાદી છે. કિમ્મેલને કહ્યું કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે સામાન્ય લોકો માટે આગામી વર્ષે ગરમીઓમાં વેક્સીન વિકસિત થવાની સૌથી સારી સ્થિતિ હશે. જોકે તેને આવવામાં 2021 સુધીનો સમય લાગી શકે છે.
ચીની કંપનીએ વેક્સીનને લઈને કર્યો દાવો
એક રિપોર્ટના આધારે એક તૃતિયાંશ વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે વેક્સીન વિકસિત કરવામાં આવશે તેને લઈને પણ મુશ્કેલીઓ આવી શકે છે. તેને 2 મોટા ઝટકા લાગી શકે છે. બીજી તરફ ચીનની દવા કંપનીએ દાવો કર્યો છે કે તેના દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સીન અમેરિકા સહિત વિશ્વભરમાં વિતરણ માટે વર્ષ 2021ની શરૂઆતમાં તૈયાર થઈ જશે.
ભારતમાં અત્યારે કોરોનાની સ્થિતિ આવી છે
ભારતમાં એક દિવસમાં કોરોનાના 79 હજાર 883 કેસ આવ્યા છે તો સાથે એક દિવસમાં ભારતમાં 76 હજાર 339 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 1 હજાર 68 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખને પાર પહોંચ્યો છે. હાલ દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 9 લાખ 45 હજાર 58 છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 64 લાખ 71 હજાર 934 છે.