ઓમિક્રોન વેરિયન્ટની દહેશતને પગલે ભારતમાં હવે ગંભીર બીમારથી પીડાતા વૃદ્ધોને કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાની સરકારે તૈયારી આદરી છે.
ભારતમાં ઓમિક્રોનનો ખતરો
સરકારે કોરોનાના બૂસ્ટર ડોઝનો બનાવ્યો પ્લાન
ગંભીર બીમારથી પીડાતા વૃદ્ધોને અપાશે બૂસ્ટર ડોઝ
કોવિડ ફોર્સના ચેરમેન અરોરાની જાહેરાત
કોવિડ ટાસ્ક ફોર્સના ચેરમેન એન.કે.અરોરાએ જણાવ્યું કે સરકાર ગંભીર રોગીઓ અને નબળી રોગપ્રતિકાર શક્તિ ધરાવતા લોકોને કોરોનાનો બૂસ્ટર ડોઝ લાવવાની પોલિસી લાવવાની વિચારણા કરી રહી છે.
બે અઠવાડિયાની અંદર બૂસ્ટર ડોઝની પોલિસી
નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપ બે અઠવાડિયાની અંદર બૂસ્ટર ડોઝની પોલિસી તૈયાર કરશે. નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપ દેશના 44 કરોડ બાળકોના વેક્સિનેશન માટે પણ નવી પોલિસી લાવવાની વિચારણા કરી રહી છે.
અરોરાએ જણાવ્યું કે દેશની ઘણી લેબોરેટરી હાલમાં નવા વેરિયન્ટ પર હાલની વેક્સિનની અસરકારતાની તપાસ કરી રહી છે તેમાં 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે. ત્યાર બાદ અમને જાણકારી મળી શકશે કે કોવેક્સિન, કોવિશિલ્ડ અને બીજી વેકિસન નવા વાયરસ સામે લડવામાં કેટલી હદ સુધી કારગર છે.
અમેરિકા, યુકે અને ઇઝરાયલે બૂસ્ટર ડોઝ આપવાનું શરુ કર્યું
વૃદ્ધો માટે બુસ્ટર ડોઝ વિશે પૂછવામાં આવતા ડો. અરોરાએ જણાવ્યું હતું કે, "નવા કોરોના વેરિએન્ટ પ્રકાશમાં આવ્યા બાદ ઘણા દેશોમાં વૃદ્ધોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. તેમાં અમેરિકા, યુકે અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. બુસ્ટરનો અર્થ એ છે કે સરકારને ૯૪ કરોડ વધુ ડોઝની જરૂર પડશે, આટલી મોટી સંખ્યાના ડોઝ એક રાતમાં તૈયાર ન થઈ શકે. અરોરાનું કહેવું છે કે દેશમાં ૧૨ થી ૧૫ કરોડ લોકોને રસીનો એક પણ ડોઝ મળ્યો નથી. 30 કરોડ લોકોને બીજો ડોઝ મળ્યો નથી. સ્પષ્ટ છે કે, આપણે રસીકરણને તીવ્ર બનાવવું પડશે. તેને પ્રાથમિકતા થી પૂર્ણ કરવું જોઈએ.