વેક્સિનેશનમાં ભારત બીજા ક્રમે પહોંચી ગયું છે. ભારતે બ્રિટેનને પછાડીને બીજો ક્રમ મેળ્યો કર્યો છે
રસીકરણ મામલે બ્રિટેનને પાછળ છોડીને બીજા ક્રમે પહોંચ્યું ભારત
અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ લોકોને અપાઈ વેક્સિન
દેશમાં અત્યાર સુધી 2.99 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ
અત્યાર સુધી 2.974 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી
વિશ્વભરમાં કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં પણ બે કંપનીની વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે રસીકરણમાં ભારત બીજા ક્રમે પહોંચી ગયું છે. ભારતે બ્રિટેનને પછાડીને બીજો ક્રમ મેળવ્યો કર્યો છે. અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ વેક્સિન આપવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધી 2.974 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જેમાં શનિવારે રાતે 2.431 કરોડ લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારે અમેરિકામાં શનિવારે 10.113 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી હતી.
રવિવારે કોરોનાના 26 હજારથી વધારે મામલા સામે આવ્યા
દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે. રવિવારે કોરોનાના 26 હજારથી વધારે મામલા સામે આવ્યા છે. આ દરમિયાન રસીકરણમાં તેજી આવી છે. દેશમાં દરેક દિવસો લગભગ 12.6 લાખ લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. કોરોનાના પ્રસારને રોકવા માટે પ્રતિબંધો લગાવવાની સાથે રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે.
બ્રિટનને પાછળ છોડ્યુ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ કે દેશભરમાં કોવિડ 19 રસીકરણ હેઠળ શનિવારે રાત સુધી કુલ 2,97,38,409 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આમાં 2.431 કરોડ લોકોને પહેલો ડોઝ લાગ્યો છે. રવિવારે 15,19, 952 લોકોને કોરોનાની રસી લાગી છે. ભારતે સૌથી ઝડપથી રસીકરણ કરવાના મામલામાં બ્રિટને પાછળ છોડી બીજા નંબરે પહોંચ્યુ છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં શનિવાર રાત સુધીમાં 2.587 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
અમેરિકામાં અત્યાર સુધી કુલ 10.113 કરોડથી વધુ લોકોને રસી અપાઈ
સૌથી વધારે રસીકરણ અમેરિકામાં થયું છે. અમેરિકામાં અત્યાર સુધી કુલ 10.113 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.આમાં 6.888 કરોડ લોકો કોવિડ વૈક્સિનનો પહેલો ડોઝ લીધો છે. અમેરિકા, ભારત અને બ્રિટન બાદ વેક્સિન આપવામાં ચોથા ક્રમે બ્રાઝિલનો સમાવેશ થાય છે.
આ રસી પર લાગ્યો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન પર યુરોપના કેટલાક દેશે પ્રતિબંધ લગાવી દીધો છે.. ત્યારે હવે એસ્ટ્રાજેનેકાની સ્પષ્ટતા સામે આવી છે. એસ્ટ્રાજેનેકાએ કહ્યું કે વેક્સિન લગાવ્યા બાદ બ્લડ જામવાના હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. વેક્સિન લાગી હોય તે બ્રિટન અને યુરોપિયન યુનિયનના 1.70 કરોડ લોકોના રિવ્યુ લેવામાં આવ્યા. હવે કંપનીએ આ મામલે સ્પષ્ટતા આપી કે આવા કોઈ જ પુરાવા મળ્યા નથી. બ્લડ જામી જવાના સમાચાર વાયરલ થતાં યુરોપના કેટલાક દેશે એસ્ટ્રાજેનેકા વેક્સિનના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો હતો.