કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આવતીકાલે એટલે કે શનિવારથી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને શુક્રવારે કહ્યું કે, કદાચ કોવિડ 19ના અંતની શરૂઆત છે.
કોરોનાના અંતની શરૂઆત થવા જઇ રહી છેઃ હર્ષવર્ધન
શનિવારે દેશભરમાં થશે કોરોના વેક્સિનેશનનો પ્રારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવ્યાપી ટીકાકરણની કરાવશે શરૂઆત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ભારત હવામાન વિજ્ઞાન વિભાગના 146માં સ્થાપના દિવસના અવસરે આ વાત કહી. તેમણે કહ્યું કે, તેમ છતા રસીકરણ અભિયાન શરૂ થવાનું છે પરંતુ લોકોએ સંક્રમણથી બચવાના નિયમોમાં ઢીલ ન આપવી જોઇએ અને નિયમોનું પાલન કરતું રહેવું જોઇએ.
હર્ષવર્ધને કહ્યું કે, આવતીકાલ એક મહત્વનો દિવસ છે.... કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઇનો આ અંતિમ તબક્કો છે. હું તો કહું છું કે આ કદાચ કોરોના વાયરસના અંતની શરૂઆત છે, જે આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહી છે. કોઇ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે. કોઇ પ્રકારની ખોટી માહિતી આપવાના પ્રયાસ થઇ રહ્યા છે. બન્ને વેક્સિન આપણા વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે અને તેમને વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ બાદ જ ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી મોદી તમામ રાજ્યો અને સંઘપ્રદેશના 3 હજાર 6 સ્થાન ડિજિટલ માધ્યમથી જોડાશે. આને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભીયાન કહેવામાં આવી રહ્યું છે, જે સમગ્ર દેશમાં શરૂ થવા જઇ રહ્યું છે અને તેના માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
મહત્વનું છે કે, તમામ રાજ્યોને કોરોનાની વેક્સિન પહોંચાડી દેવાઈ છે. દરેક કેન્દ્ર પર લગભગ 100 લોકોને આપવામાં રસી આવશે. સરકારે અત્યાર સુધી 1.65 કરોડ ડોઝ તમામ રાજ્યોને મોકલ્યા છે. સૌથી પહેલા હેલ્થ વર્કર્સને આપવામાં રસી આવશે.
કોવિશિલ્ડ વેક્સિન વિશે જાણો
ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આ રસીનું સંશોધન થયું છે
ભારતમાં ઓક્સફર્ડની વેક્સિનનું નામ કોવિશિલ્ડ છે
ઓક્સફર્ડે એસ્ટ્રાઝેનેકા બાયોફાર્માસ્યૂટિક કંપની સાથે કરી છે પાર્ટનરશિપ
ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ કોવિશિલ્ડનું કરી રહી છે ઉત્પાદન
કોવિશિલ્ડ ભારતમાં બનેલી પહેલી ત્રણ રસીમાંની એક છે
પુનાની સીરમ ઈન્સ્ટીટ્યુટે ઓક્સફર્ડ દ્વારા સંશોધિત આ રસીનું ઉત્પાદન કર્યું છે
ઓક્સફર્ડ,એસ્ટ્રાઝેનકા અને સીરમ ઈન્સ્ટીટ્યુટ એમ ત્રણેય સંસ્થાઓ વચ્ચે ભાગીદારી છે
કોવિશિલ્ડ બાળકોથી લઈ વૃદ્ધમાં અસરદાર જોવા મળી છે
શરૂઆતના પરિણામમાં લક્ષણ વગરના લોકોને સંક્રમણનો ખતરો ખુબ જ ઓછો
અન્ય વેક્સિન કરતા કોવિશિલ્ડને સ્ટોર કરવી છે ખુબ જ સરળ
કોવિશિલ્ડને સામાન્ય તાપમાનમાં પણ સ્ટોર કરી શકાય છે
કોવિશિલ્ડની કિંમત અન્ય વેક્સિન કરતા ઘણી ઓછી હશે
કોવિશિલ્ડનો એક ડોઝ સરકારને 220 રૂપિયામાં મળ્યો છે
દરેક વ્યક્તિને વેક્સિનના બે ડોઝની જરૂરિયાત પડશે
બ્રિટને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની આ રસીને મંજૂરી આપી દીધી છે
6ઠ્ઠી ડિસેમ્બરે સીરમ ઈન્સ્ટીટ્યુટે ઈમરજન્સી ઉપયોગ માટે સરકારને અરજી કરી હતી
16મી જાન્યુઆરીથી ગુજરાતમાં કોવિશિલ્ડનું રસીકરણ શરૂ થવાનું છે
કોવેક્સિન વિશે જાણો
કોવેક્સિન ભારતમાં બની રહેલી કોરોનાની રસીનું નામ છે
ભારતનું સૌથી મોટું પરિક્ષણ કોવેક્સિન માટે થયું છે
ભારત બાયોટેક નામની કંપની આ રસી બનાવી રહી છે
ભારત બાયોટેક નિર્માતા છે અને ભારત સરકારની સંસ્થા ICMR સંશોધન કરે છે
કોવેક્સિનના પહેલા-બીજા તબક્કાના પરીક્ષણ પછી ત્રીજો તબક્કો પણ સફળ રહ્યો છે
ત્રીજા તબક્કામાં રસીનું માનવ પરીક્ષણ એક મહિના પહેલા શરૂ થયું હતું
ત્રીજા તબક્કામાં કુલ 26 હજાર વોલંટિયર્સ પર કોવેક્સીનનું પરીક્ષણ થયું છે
26 હજારમાંથી અમદાવાદમાં 1 હજાર લોકો પર કોવેક્સીનનું પરીક્ષણ થયું
અમદાવાદમાં હાલમાં બીજા ડોઝ માટે 1 હજાર લોકોને રસી અપાઈ રહી છે
26 હજાર લોકોને 28 દિવસમાં 2 વાર રસી આપવાનું કામ ચાલી રહ્યું છે
કંપની અને સંશોધકોને એ જાણ નહોતી કે રસી ક્યા સમૂહને અપાઈ છે
સરકારના ICMR અને NIVના સહયોગથી ભારત બાયોટેક આ રસી બનાવી રહી છે
ભારત બાયોટેકે કોવેક્સિન 60 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો છે
વોલંટિયરમાં 50 ટકાને કોવેક્સીન અને 50 ટકાને પ્લેસબો અપાયું છે
એટલે કે પ્લેસબો ઓછા અસરવાળી રસી હશે અને કોવેક્સીન વધુ અસરવાળી રસી હશે
બન્ને પ્રકારની રસી આપ્યા પછી દર્દીઓના પરીક્ષણને આધારે રસીની અસરકારકતા નક્કી થશે
કોવેક્સીન બનાવવા માટે ભારત સરકાર સીધી રીતે ભાગીદાર છે
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોવેક્સિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે
ત્રીજા તબક્કાના સફળ પરીક્ષણ પછી કોવેક્સિન થોડા સમયમાં જ આપણને મળવાની છે
કોવેક્સિનના માનવ પરીક્ષણમાં ગુજરાત પણ ભાગીદાર થઈ રહ્યું છે