વેક્સિનેટેડ લોકોની સંખ્યા સિંગલ ડોઝ લગાવી ચૂકેલા લોકોથી વધારે
કોરોના રસીકરણ અભિયાન સરકારની પ્રમુખતાઓમાં શામેલ છે. આ અભિયાનને ગતિ આપવા માટે દર રોજ નવા નવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં એવું પહેલી વાર થયું છે. જ્યાં સૂંપૂર્ણ રીતે વેક્સિનેટેડ લોકોની સંખ્યા સિંગલ ડોઝ લગાવી ચૂકેલા લોકોથી વધારે થઈ ચૂકી છે.
સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધી 75.54 કરોડ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ વાગ્યો છે. જેમાં 38.07 કરોડ લોકોને બન્ને ડોઝ લાગી ચૂક્યા છે. જ્યારે 37. 47 કરોડ લોકો એવા છે જેમને અત્યાર સુધીમાં કોરોનાનો એક ડોઝ લાગ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર દેશમાં અત્યાર સુધી 40.3 ટકા વયસ્કોને રસીના બન્ને ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે 40.2 ટકા લોકોને એક જ ડોઝ લાગ્યો છે.
મંગળવારે આપવામાં આવી 61,21,626 લોકોને રસી
ભારત સરકારના આંકડા મુજબ દેશમાં મંગળવારે 61,21,626 લોકોને રસી લગાવવામાં આવી. જેમાંથી 18.48 લાખ લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે. તો 42.72 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સરકારે આ વર્ષના અંત સુધી તમામ વયસ્કોને કોરોનાની રસી લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એટલા માટે રાજ્યોના રસીકરણ અભિયાનને તેજ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એટલા માટે કેન્દ્ર સરકારે ઘરે-ઘરે જઈને રસીકણ અભિયાન ચલાવ્યું છે.
દુનિયામાં 52.2 ટકા લોકોને લાગ્યો એક ડોઝ
વેબસાઈટ Our World in Data મુજબ વિશ્વમાં અત્યાર સુધી સરેરાશ 52.2 ટકા લોકોને ઓછામાં ઓછો રસીનો એક ડોઝ લાગી ચૂક્યો છે. ત્યારે 40.9 ટકા લોકોને બન્ને ડોઝ લાગી ચૂક્યા છે.