કોરોનાના કેસની તપાસ, નવા સ્ટ્રેન અને વેક્સીનેશનમાં મોડું થવા સહિતના 5 કારણોના લીધે કેસમાં વધારો થતાં સરકારનું ટેન્શન વધ્યું છે.
વધી રહ્યા છે ભારતમાં કોરોનાના કેસ
5 કારણોને લીધે વધી રહ્યું છે ટેન્શન
2 દિવસથી 16000થી વધુ નવા કેસ અને રોજના 100થી વધુ મોત
ભારતમાં ફરી એકવાર કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી રોજના 16000થી પણ વધારે કેસ આવી રહ્યા છે અને 100થી વધારે મોત થઈ રહ્યા છે. જાણકારોનું માનવું છે કે તપાસમાં ઘટાડો, નવો કોરોના સ્ટ્રેન અને સાથે જ વેક્સીનેશનમાં મોડું થવા સહિતના કારણોના કારણે કેસ વધી રહ્યા છે અને સ્થિતિ વણસી રહી છે. આ માટે સરકારે તરત પગલાં લેવા જોઈએ.
આ કારણો રહ્યા છે જવાબદાર
1. રોજના તપાસના કેસની સંખ્યા થઈ અડધી
મળતી માહિતી અનુસાર ગયા સપ્ટેમ્બરમાં દેશમાં રોજના 10 લાખ લોકોના કોરોના ટેસ્ટ થતા હતા. ફેબ્રુઆરી આવતા આ સંખ્યા ઘટી છે. રોજ 8થી 8 લાખ કેસની તપાસ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,31,807 કેસની તપાસ થઈ છે. અત્યાર સુધીમાં કુલ 21,46,61,465 કેસની તપાસ થઈ ચૂકી છે.
2. નમૂનાના પોઝિટિવ દરમાં થયો છે વધારો
દેશમાં રોજ થતા કેસની તપાસ ઘટી રહી છે અને પોઝિટિવ હોવાનો રેટ 5 ટકા વધ્યો છે. આ સ્થિતિ કહે છે કે જરૂર કરતાં તપાસ ઓછી રહી છે. જેના કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી છે. ગયા મહિને દેશમાં ટેસ્ટ પોઝિટિવીટી રેટ 6 ટકા હતો જે આ મહિને 5 ટકાથી પણ વધ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માને છે કે કોઈ પણ દેશની તપાસ પોઝિટિવીટી દર સતત 2 અઠવાડિયા સુધી 5 ટકા કે તેનાથી ઓછો રહે તો જ સંક્રમણ પર નિયંત્રણ મેળવી શકાય છે.
3. કોરોનાના નવા રૂપની અસર
ભારત સરકારે કહ્યું છે કે બ્રિટનમાં સૌથી પહેલા આવોલા વાયરસના નવા સંસ્કરણમાં દેશમાં 180થી વધુ કેસ આવયા છે. સાથે દ. આફ્રિકા અને બ્રાઝિલમાં દુનિયાના અનેક ભાગમાં ફેલાયેલા વાયરસના એક નવા રૂપના કેસ પણ આવ્યા છે. તે પણ એક મોટું કારણ છે.
4. બચાવની રીતમાં બેદરકારી
દેશમાં કોરોના સંક્રમણ ઘટતાં જ લોકોએ તેના માટેની બેદરકારી શરૂ કરી અને આ કારણે મહારાષ્ટ્ર સહિતની જગ્યાઓએ કેસ વધી રહ્યા છે. વિશેષજ્ઞો માને છે કે ભારતમાં સંક્રમણ ઘટવા માટે મુખ્ય કારણ એન્ટીબોડી વિકસિત થવા છે. હાલમામં અનેક સિરો સર્વેના પરિણામ કહે છે કે દેશની આબાદી વાયરસની ઝપેટમાં આવીને સાજી થઈ છે. તેના આધારે તેઓ ઘટતા સંક્રમણને લીને ઉત્સાહિત નથી અનેક લોકો છે જેમના શરીરમાં લક્ષણો વિનાનું સંક્રમણ હોઈ શકે છે. માટે બેદરકારી ન રાખીને જાતે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું.
अब तक 49,15,808 फ्रंटलाइन वर्कर्स को वैक्सीन की डोज दी गई है: स्वास्थ्य मंत्रालय https://t.co/jXAFwfrNYi
એક રિપોર્ટ અનુસાર ભારત પ્રતિ 100 લોકોમાં માત્ર 1 વ્યક્તિને વેક્સીન આપી રહ્યું છે. બ્રિટનમાં 100 લોકોએ 27 લોકોને તો અમેરિકા 19 લોકોને વેક્સીન આપી રહ્યું છે. ભારતનું લક્ષ્ય જુલાઈ સુધી 30 કરોડ લોકોને વેક્સીન લગાવવાનું છે. જેમાં તે ઘણું પાછળ છે. દેશમાં અત્યાર સુધીમાં 1,34,72,643 લોકોને વેક્સીન અપાઈ છે. માર્ચના અંત સુધીમાં આ લક્ષ્ય 3 કરોડ લોકોને વેક્સીન આપવાનું છે. આ સાથે માર્ચથી 27 કરોડ સીનિયર સિટિઝનને માટે વેક્સીનેશન શરૂ થવા જઈ રહ્યું છે.