મોતના આંકડામાં ઉતાર ચઢાવ જારી છે. 24 કલાકમાં એકવાર ફરી 3400 થી વધારે લોકોના મોત થયા છે.
3400 થી વધારે લોકોના મોત થયા
29મા દિવસે નવા કેસ કરતા વધારે લોકો સાજા થયા
ગત 24 કલાકમાં 91 હજાર 266 લોકો કોરોનાગ્રસ્ત મળ્યા
3400 થી વધારે લોકોના મોત થયા
ભારતમાં કોરોની વાયરસના નવા મામલામાં સતત ઘટાડો નોંધાયી રહ્યો છે. પરંતુ મોતના આંકડામાં ઉતાર ચઢાવ જારી છે. ગત 24 કલાકમાં એકવાર ફરી 3400 થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે આ દરમિયાન 91 હજાર નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ પહેલા 10 જૂને 94 હજાર નવા કેસ આવ્યા હતા અને 6148 લોકોના જીવ ગયા હતા.
ગત 24 કલાકમાં 91 હજાર 266 લોકો કોરોનાગ્રસ્ત મળ્યા
વર્લ્ડમીટરના જણાવ્યાનુસાર ભારતમાં ગત 24 કલાકમાં 91 હજાર 266 લોકો કોરોનાગ્રસ્ત મળ્યા છે. તો મરનારની સંખ્યા 3402 નોંધાયી છે. આ બાદ કુલ કેસની સંખ્યા 2 કરોડ 92 લાખ 73 હજાર 338 થઈ ગઈ છે. જ્યારે 3 લાખ 63 હજાર 97 લોકોના જીવ ગયા છે.
29મા દિવસે નવા કેસ કરતા વધારે લોકો સાજા થયા
કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. સતત 29માં દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધારે છે. આંકડા અનુસાર 24 કલાકમાં 1.33 લાખથી વધારે લોકો સાજા થયા છે. આ બાદ ભારતમાં સાજા થનારાની સંખ્યા 2 કરોડ 77 લાખ 78 હજાર 894 છે. તો દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 11 લાખ 31 હજાર 347 છે.
10 જૂને કોરોનાના સૌથી વધારે મોત
ભારતમાં કોરોના સંક્રમણના સૌથી વધારે મોત ગુરુવારે (10 જૂન) નોંધાયી હતી. એક દિવસમાં મરનારાની સંખ્યા 6138 હતી. જો કે આમાં બિહારમાં થયેલા જુના મોતના આંકડાને જોડવામાં આવ્યા હતા. આ પહેલા 19 મેએ એક દિવસમાં 4329 દર્દીના મોત થયા હતા.