ભારતીય જનતા પાર્ટીના નેતા અને દિલ્હીના સાંસદ મનોજ તિવારી કોરોના સંક્રમિત થયા છે.
દિલ્હીના સાંસદ મનોજ તિવારી કોરોના સંક્રમિત
સાસંદે પોતે ટ્વીટ કરી જાણકારી આપી છે
તેમને ગત 2-3 દિવસથી હળવો તાવ આવી રહ્યો હતો
દિલ્હીના સાંસદ મનોજ તિવારી કોરોના સંક્રમિત
ભારતીય જનતા પાર્ટીના નેતા અને દિલ્હીના સાંસદ મનોજ તિવારી કોરોના સંક્રમિત થયા છે. આ અંગે સાસંદે પોતે ટ્વીટ કરી જાણકારી આપી છે. મનોજ તિવારીએ કોરોના સંક્રમિત થવાના સમાચાર ફેલાઈ જતા હડકંપ મચ્યો છે. ભાજપના સાંસદ મનોજ તિવારીના ટ્વીટરમાં કહ્યુ કે મને ગત 2-3 દિવસથી હળવો તાવ અનુભવાઈ રહ્યો છે. મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગત 2-3 દિવસોમાંથી જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તે તમામ ટેસ્ટ કરાવી લે. હું ડોક્ટરના સંપર્કમાં રહેતા હોમ આઈસોલેશનમાં છુ.
मैंने पिछले 2-3 दिन से हल्का fever महसूस किया तो आज टेस्ट कराया.. मेरी #COVID-19 की रिपोर्ट positive आयी है.. पिछले 2-3 दिनों में जो भी हमसे सम्पर्क में आये हैं वो अपना टेस्ट करा लें..मैं डॉक्टर के सम्पर्क में रहते हुये home isolation में हुँ 🙏🙏
હકિકત દિલ્હીમાં કોરોના વાયરસે ભયંકર રુપ ધારણ કરી લીધુ છે. રોજ હજારો દર્દીઓ સામે આવી રહ્યા છે. સાથે અનેક દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. હવે સ્થિતિ એવી છે કે બેડ ઓછા પડી રહ્યા છે. સાથે ઓક્સિજનની અછત ઠેય તેવામાં લોકોની વચ્ચે ભયનો માહોલ બનેલો છે.
ઓક્સિજનને લઈને હાહાકાર
દિલ્હીમાં ઓક્સિજનની અછતને લઈને હાહાકાર મળ્યો છે. દિલ્હી સરકાર કેન્દ્ર સરકારથી સતત દિલ્હી માટે ઓક્સિજનનો કોટા વધારવાની માંહ કરી રહ્યા છે. ત્યારે 6 પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઓક્સિજન બિલકુલ ખતમ થઈ ગયો છે. જ્યારે અન્ય લગભગ 15 હોસ્પિટલમાં થોડાક કલાકો માટે ઓક્સિજન બચ્યો છે. દિલ્હીની જે હોસ્પિટલમાં ઓક્સિજન એકદમ ખતમથઈ ગયો છે . તેમાં રાઠી હોસ્પિટલ, સંતોમ હોસ્પિટલ, સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટ, શાંતિ મુકુંદ હોસ્પિટલ તીર્થ રામ હોસ્પિટલ અને યુકે નર્સિંગ હોમ સામેલ છે.