ભારતમાં કોરોનાની બીજી લહેર હવે સ્થિર છે. દેશમાં દરરોજ લગભગ કોરોનાના 40 હજાર જેટલા જ નવા કેસો સામે આવી રહ્યાં છે.
ગભરાશો નહીં, દેશમાં કોરોનાની બીજી લહેર હવે સ્થિર
એક અઠવાડિયામાં ત્રીજી વખત 40 હજારથી ઓછા કેસો નોંધાયા
છેલ્લાં 24 કલાકમાં 43,910 લોકો કોરોનાથી થયા સાજા
રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લાં 24 કલાકમાં 39,070 કોરોનાના નવા કેસો સામે આવ્યાં છે અને 491 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે, દેશભરમાં છેલ્લાં 24 કલાકમાં 43,910 લોકો કોરોનાથી સાજા થયા છે.
ઓગષ્ટમાં ત્રીજી વખત કોરોનાના કેસો 40 હજારથી ઓછા નોંધાયા
ઓગષ્ટમાં આ ત્રીજી વખત બન્યું છે, જ્યારે કોરોનાના કેસો 40 હજારથી ઓછા નોંધાયા છે. આ અગાઉ 2 ઓગષ્ટ અને 6 ઓગષ્ટના દિવસે 40 હજારથી ઓછા કેસો આવ્યાં હતાં. 1 ઓગષ્ટે 40,134, 2 ઓગષ્ટે 30,549, 3 ઓગષ્ટે 42,625, 4 ઓગષ્ટે 42,982, 5 ઓગષ્ટે 44,643, 6 ઓગષ્ટે 38,628 નવા કોરોનાના કેસો સામે આવ્યાં હતાં.
કોરોનાના કુલ કેસો
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 19 લાખ 34 હજાર લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 4 લાખ 27 હજાર 862 લોકોના મોત થયા છે. બીજી તરફ રસપ્રદ વાત છે કે 3 કરોડ 10 લાખ 99 હજાર લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હજી પણ 4 લાખથી વધારે છે. કુલ 4 લાખ 6 હજાર લોકો હજી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેઓ સારવાર હેઠળ છે.
કેરળમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા
કેરળમાં શનિવારે કોરોના વાયરસના સંક્રમણના 20,637 નવા કેસો સામે આવતાની સાથે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 35 લાખ 33 હજાર 918 સુધી પહોંચી ગયા છે. તો આ સમયગાળા દરમ્યાન કોરોનાથી 139 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 17,654 થઈ છે. કેરળમાં છેલ્લાં 24 કલાકમાં 20,265 દર્દીઓ સંક્રમણમાંથી મુક્ત થયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 33 લાખ 37 હજાર 579 દર્દીઓ સાજા થયા છે. જોકે, કેરળમાં અત્યારે 1 લાખ 78 હજાર 166 દર્દીઓ સારવાર હેઠળ છે.