દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ બ્રિટનથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે આ નવો સ્ટ્રેન ખૂબ જ સંક્રામક છે. આ માટે વધારે સાવધાન રહેવાની જરૂર છે.
AIIMS ડાયરેક્ટરે આપી ચેતવણી
કહ્યું કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ જ ખતરનાક
લોકોએ વધારે સાવધાન રહેવાની છે જરૂર
AIIMSના ડો. ગુલેરિયાએ કહ્યું કે એવું પણ શક્ય છે કે બ્રિટનનો નવો સ્ટ્રેન ભારતમાં નવેમ્બર કે ડિસેમ્બરમાં જ આવી ગયો હોય, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોનનાના કેસમાં વધારો થયો નથી.
નવા સ્ટ્રેનથી સંક્રમણ વધવું એ ચિંતાજનક
ગુલેરિયાએ કહ્યું કે અધ્યયનમાં જાણવા મળ્યું છે કે યૂકેથી ફેલાયેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન વધારે સંક્રામક છે. આ માટે તે ચિંતાનો વિષય છે. બ્રિટનથી ફ્લાઈટ્સને લઈને સરકારે અનેક ચીજો નક્કી કરી છે. તેને માટે કંસોર્ટયમની રચના કરી છે જે ભારત આવેલા સ્ટ્રેનનું અધ્યયન કરશે. તેઓએ એમ પણ કહ્યું કે નવા સ્ટ્રેનથી ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધશે તો અમે કાર્યવાહી કરવામાં સક્ષમ છીએ.
કોરોના સંક્રમણને લઈને ભારતની સ્થિતિ મજબૂત
ડો. ગુલેરિયાએ કહ્યું કે ભારત હાલમાં સારી સ્થિતિમાં છે. આપણા દૈનિક કેસમાં ઘટાડો આવ્યો છે. રિકવરી રેટ પણ વધ્યો છે અને મૃત્યુદર ઘટ્યો છે. તેઓએ સલાહ આપતાં કહ્યું કે નવા સ્ટ્રેનના કારણે વધારે સાવધાની રાખવાની જરૂર છે. એ નક્કી કરવાની જરૂર છે કે તે ભારતમાં વધારે પગપેસારો ન કરે.
ઓક્સફર્ડની વેક્સીનને લઈને ડો. ગુલેરિયાએ કહ્યું...
ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન પર ડો. ગુલેરિયાએ કહ્યું કે આ સારા સમાચાર છે કે આ વેક્સીનને બ્રિટનમાં મંજૂરી મળી છે. તેની પાસે મજબૂત આંકડા છે. ભારતમાં ટીકા સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસિત કરાઈ રહ્યા છે. આ ન ફક્ત ભારત માટે પણ દુનિયાના અનેક ભાગ માટે મોટું પગલું છે.
ભારત માટે સરળ હશે વેક્સીનેશન
દેશમાં વેક્સીનેશનની પ્રક્રિયા પર એમ્સ ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ કહ્યું કે જ્યાં સુધી વેક્સીનેશનનો સવાલ છે અમારી પાસે મજબૂત યોજના છે. અમે સાર્વભૌમિક વેક્સીનેશન કાર્યક્રમના રૂપે બાળકો અને ગર્ભવતી મહિલાઓને વેક્સીન આપીએ છીએ. વેક્સીનને 2-8 ડિગ્રી સેન્ટીગ્રેડ પર સ્ટોર કરવા માટે એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો ભારત માટે સરળ રહેશે.