IIT કાનપુરના એક સ્ટડીમાં એવું જણાવાયું છે કે જો કોરોના અત્યંત ઝડપી ગતિએ ફેલનાર મ્યુટેંટ ન બન્યો તો ત્રીજી લહેર પહેલી લહેરની તુલનાએ ઘણી નબળી હશે.
કોરોનાની ત્રીજી લહેરને લઈ પર IIT કાનપુરના સ્ટડીમાં દાવો
ત્રીજી લહેર પહેલી લહેરની તુલનાએ ઘણી નબળી હશે
ઓગસ્ટ સુધીમાં સ્થિતિ સામાન્ય બની શકે
દેશમાં કોરોનાની બીજી લહેરના વળતા પાણી થયા છે પરંતુ અત્યારથી ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. કાનપુર આઈઆઈટીના આ સ્ટડીમાં ત્રીજી લહેર અંગે મોટો દાવો કરાયો છે.
સૂત્ર એનાલિસિસ કરનાર આઈઆઈટીની ટીમના વૈજ્ઞાનિકોમાં સામેલ પ્રોફેસર મનિંદર અગ્રવાલે કહ્યું કે અમે કોરોનાની ત્રીજી લહેર અંગે ત્રણ સંભવિત સ્થિતિઓની ભવિષ્યવાણી કરી છે.
તેમણે કહ્યું કે ત્રીજી લહેર ઘણી નાની હોઈ શકે. તે નબળી પણ હોઈ શકે. જો કોઈ ઝડપી ગતિએ ફેલનાર મ્યુટેંટ ન રહ્યો તો તે નબળી રહેશે. પરંતુ જો વાયરસનું કોઈ સ્વરુપ ઝડપથી ફેલાશે તો ત્રીજી લહેર પહેલી લહેર જેવી હશે.
નવું વેરિયન્ટ ન આવ્યું તો ઓગસ્ટ સુધીમાં સ્થિતિ સામાન્ય બનશે
પ્રોફેસરે અગ્રવાલે કહ્યું કે જે સૌથી વધારે આશાસ્પદ અનુમાન છે તે એ છે કે ઓગસ્ટ સુધીમાં જીવન સામાન્ય સ્તરનું થઈ જશે જોકે તેને માટે કોઈ નવા વેરિયન્ટનું આગમન ન થવું અગત્યનું છે. જો કોઈ વાયરસનું વેરિયન્ટ આવ્યું તો પછી ત્રીજી લહેર પહેલી લહેર જેવી બની શકે છે. બીજું અનુમાન એ છે કે વેક્સિનેશનલ 20 ટકા ઓછું અસરકારક રહેશે. ત્રીજી સ્થિતિ એવી છે કે ઓગસ્ટમાં એક નવું વેરિયન્ટ આવી શકે છે જે 35 ટકા વધારે ચેપી હશે.
સૂત્ર મોડલના જણાવ્યાનુસાર જો કોરોના વાયરસનું કોઈ મ્યુટેંટ આવી જશે, જે મોટાપાયના વેક્સિનેશનને પણ થાપ આપી જાય અથવા સાજા થયેલા લોકોની ઈમ્યુનિટીને પણ ભેદી નાખે તો ઉપરની ત્રણ સંભવિત પરિસ્થિતિઓનું અનુમાન રદબાતલ ઠરી જશે.