બીજી લહેર બાદ મુંબઈ અને દિલ્હીમાં કોરોનાના કેસમા મોટો વધારો થતા દેશની ચિંતા વધી છે.
ભારતમાં કોરોના અને તેના વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે
દિલ્હી અને મુંબઈમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો
દિલ્હીમાં 249 નવા કેસ
મુંબઈમાં 757 કેસ
ભારતમાં ત્રીજી લહેર શરુ હોવાની શક્યતા
ભારતમાં કોરોના અને તેના વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે. દિલ્હી અને મુંબઈમાં કોરોનાની બીજી લહેર બાદ પહેલી વાર સંક્રમણના કેસમાં મોટો વધારો થતા ભારતમા ત્રીજી લહેર શરુ થઈ હોવાની શક્યતા છે.
શનિવારે મુંબઈમાં કોરોનાના 757 કેસ નોંધાયા જે 24 જુન બાદ સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા ગુરુવાર અને શુક્રવારે અહીં 600થી વધારે કેસ મળ્યાં હતા.
દિલ્હીમા કોરોનાના કેસમાં મોટો ઉછાળો
બીજી તરફ દિલ્હીમા પણ કોરોનાની બીજી લહેર બાદ નવા કેસમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારે અહીં કોરોનાના 249 નવા કેસ મળ્યાં હતા છેલ્લા 6 મહિનામાં અહીં 38 ટકા વધારો થયો છે.
#COVID19 | Mumbai reports 757 new cases, 280 recoveries and no deaths, in the last 24 hours.
Active cases 3,703 pic.twitter.com/bR66vwY4dQ
દેશમાં ઓમિક્રોનના કેસ 400ને પાર
ભારતમાં ઓમિક્રોનના કેસ 415 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે 8 વાગ્યે આપેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 108 કેસ નોંધાયા છે. આ પછી દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 37, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા હતા. આંકડા મુજબ ભારતમાં ચેપના કુલ કેસોની સંખ્યા 3,47,79,815 સુધી પહોંચી ગઈ છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 7,189 નવા કેસ નોંધાયા છે. કોરોનાએ અત્યાર સુધીમાં દેશમાં 4,79,520 લોકોના જીવ ગયા છે.
#COVID19 | Delhi reports 249 positive cases, one death, and 96 recoveries in the last 24 hours. Active cases 934
રાજસ્થાનમાં એક દિવસમાં ઓમિક્રોનના 21 કેસ
રાજસ્થાનમાં એક દિવસમાં ઓમિક્રોનના 21 કેસ નોંધાતા ડર વ્યાપ્યો છે. ભારતમાં ઓમિક્રોનના આગમન બાદ પહેલી વાર આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. 21 કેસમાં જયપુરના 11, અજમેરના 6, ઉદયપુરના 3 નો સમાવેશ થાય છે. તેમાં ૫ ચેપગ્રસ્ત દર્દીઓ વિદેશ પ્રવાસથી પાછા ફર્યા હતા. આમ રાજસ્થાનમાં ઓમિક્રોન ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૪૩ થઈ ગઈ છે. જયપુરમાં સૌથી વધુ ૨૮ કેસ છે.