સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં એક ટોચના આરોગ્ય નિષ્ણાતનું નિવેદન ડરામણું છે. નિષ્ણાંતે કહ્યું કે કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે. તેમણે કહ્યું કે આને ટાળી શકાય નહીં. આ માટે, તેમણે સલાહ આપી છે કે લોકોની સલામતી માટે, બૂસ્ટર ડોઝને ધ્યાનમાં લેવાવો જોઈએ, ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓને.
ડોક્ટર અશોક શેઠે આપ્યા આ કારણો
કોરોનાની ત્રીજી લહેર કેમ આવશે જ તે અંગે સમજાવતા ડોક્ટરે શેઠે કહ્યું કે ઓમિક્રોન અત્યંત ચેપી છે અને તે રોગ પ્રતિકાર શક્તિથી બચી જાય છે. બીમારીની ગંભીરતા સંપૂર્ણ રીતે કોઈના શરીરની રોગપ્રતિકાર શક્તિ સાથે સંબંધિત છે. ભારત એક વિશાળ દેશ છે અને હોસ્પિટલમાં ઘણા દર્દીઓ ભરેલા પડ્યાં છે.
Booster dose of vaccine is going to be needed at some stage. It's evident from the West that tells us if a booster dose is given, then we're better protected against this variant: Dr Ashok Seth, Executive Director, Fortis Escorts Heart Institute, Delhi on Omicron variant of COVID pic.twitter.com/rRyrCwfPOr
ભારત ખરેખર જોખમમાં અને તૈયારીની જરુર-ડોક્ટર અશોક શેઠ
દેશભરમાં ઓમિક્રોન કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતા ડોક્ટર અશોક શેઠે કહ્યું કે આપણે ખરેખરા જોખમમાં છીએ અને આપણે તૈયારીની જરુર છે.
દેશમાં કુલ કેસ થયા 73, ઓમિક્રોનને લઈને WHOની ભવિષ્યવાણી સાચી પડી
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસની સંખ્યા 73 થઈ છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 32 છે. ભારતમાં જે રીતે પ્રતિદિન ઓમિક્રોનના કેસ આવી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે કે WHOની ભવિષ્યવાણી સાચી પડી છે. WHO ભાવી ભાખતા જણાવ્યું હતું કે ઓમિક્રોન ખૂબ ચેપી અને સંક્રમક હોવાથી ભારત સહિત દુનિયામાં તેના કેસ વધી શકે છે.
કેરળમાં 4, તમિલનાડુમાં નોંધાયો પહેલો ઓમિક્રોન કેસ
બુધવારે કેરળમાં 4 અને તમિલનાડુમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાવાની સાથે ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 73 પર પહોંચી છે.