ખાનગી લેબોરેટરીમાં કોરના ટેસ્ટ કરવાની છુટ આપવા અંગે સ્પષ્ટતા કરી હતી. ગુજરાત સરકારે આ અંગેની ICMRની ગાઈડલાઈનને આગળ ધરતાં કહ્યુ હતુ કે, અમારો ઈરાદો ન ટેસ્ટ ઓછા કરવાનો છે ન ડેટા છુપાવવાનો અમે ફક્ત IMCRની ગાઈડલાઈનને અનુસરીએ છીએ. અમે આ પોલીસી ન બદલી શકીએ. સરકાર જણાવ્યું હતુ કે, કોરોના ટેસ્ટ કરવાની પોલીસ બદલીશું નહીં.
ફક્ત IMCRની ગાઈડલાઈનને અનુસરીએ છીએ.
ખાનગી ડોક્ટરો અને લેબોરેટરીઓ ટેસ્ટ ન કરી શકે
સિનિયર ડોક્ટરોનો પણ અભિપ્રાય લીધો
ગુજરાતમાં કોરોના વાયરસના ઓછા ટેસ્ટ અને ખાનગી લેબોરેટરીને આ અંગે છૂટ આપવા બાબતે પ્રિતેશ શાહના વકિલ પાર્થ કોન્ટ્રક્ટ્રર દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જેમાં ખાનગી લેબોરેટરીને પણ કોરનાના ટેસ્ટ કરવાની છુટ આપવામાં આવે. આ અંગેની સુનાવણી જસ્ટીસ જે બી પારડીવાલા અને આઈ જે વોરાની બેંચ દ્વારા કરવામાં આવી હતી જેમણે ગુજરાત સરકારને આ અંગે સવાલો કર્યા હતા.
શું કહે છે ગુજરાત સરકાર
જેના જવાબમાં ગુરૂવારે ગુજરાત સરકારે એવું જણાવ્યું હતુ કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની ગાઈડલાઈન અનુસાર જ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવાની પરવાનગી આપી ન શકાય. એટલે આ નિર્ણય કેન્દ્રનો છે. અમે ફક્ત તેનું અનુસરણ જ કરીએ છીએ. અમે ટેસ્ટ કરવાની કોઈ નીતિ નહીં બદલીએ.
ખાનગી ડોક્ટરો અને લેબોરેટરીઓ ટેસ્ટ ન કરી શકે
રાજ્ય સરકારે ICMRની ગાઈડલાઈન મુજબ જણાવ્યુ હતુ કે, ખાનગી લેબોરેટરીઓને ફક્ત ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શનના આધારે ટેસ્ટ કરવાની મંજૂરી ન આપવાની નીતિમાં કોઈ ફેરવાર કરવામાં હીં આવે. પરીક્ષણની પરવાનગી સરકાર દ્વારા નિમણૂંક કરેલ આરોગ્ય અધીકારીઓ જ આપી શકે છે. આ અંગે કોઈ છુટછાટ આપી ન શકાય આ ગાઈડલાઈન કેન્દ્ર અને ICMR દ્વારા રજૂ કરવામાં આવી છે.
સિનિયર ડોક્ટરોનો પણ અભિપ્રાય લીધો
ગુજરાત સરકારે વધુમાં ઉમેર્યુ હતુ કે, 25મી મેના રોજ આ માટે એક ખાસ કિમિટિ બનાવવામાં આવી હતી જેમાં ઓન્કોલોજિસ્ટ ડો. પંકજ શાહ, કાર્ડિયોલોજિસ્ટ તેજસ પટેલ અને ઈન્ફેક્શન ડિસિસના સ્પેશ્યાલિસ્ટ ડો. અતુલ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ સિનિયર ડોક્ટરોએ પણ ICMRની ગાઈડલાઈન અનુસાર જ અભિપ્રાય આપ્યો હતો.
દર્દીઓની સુરક્ષા માટે લેવાયો છે નિર્ણય
સરકારે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુ કે આ નિર્ણયનો હેતુ પોઝિટિવ કોરોનાના દર્દીઓનો ડેટા છુપાવવાનો નથી. રાજ્ય સરકારનું વલણ ફક્ત ICMRની ગાઈડલાઈન અનુસાર જ છે. કોરોનાનો પોઝિટિવ ડેટા કે આંકડા છુપાવવાનો સરકાર જરાય પ્રયાસ નથી કરી રહી પરંતુ લોકોમાં નેગેટિવિટી ન આવે અને ભય ન ફેલાય તેમજ સલામતી અને સુરક્ષાની ભાવના વિકસે એ હેતુથી જ ટેસ્ટીંગ અંગેના નિયમો કડક કરવામાં આવ્યા છે.