સૂકી ઉધરસ, શરદી, તાવ અને સતત લાગતો થાક કોરોનાના લક્ષણ હોઈ શકે છે. આ સિવાય સ્મેલ અને સ્વાદ ન પારખી શકવા તે પણ કોરોનાના લક્ષણ ગણાય છે. જો તમને ઘરમાં રહેવા નારિયેળ તેલ કે ફૂદીનાની સ્મેલ ન આવે તો તરત જ તમારે કોરોના ટેસ્ટ માટે ડોક્ટર પાસે જવું જોઈએ.
ઘરે જ કરો કોરોના ટેસ્ટ
આ 2 વસ્તુની સ્મેલ ન આવે તો જાઓ ડોક્ટર પાસે
ફૂદીનો અને નારિયેળ તેલની સ્મેલનો ટેસ્ટ કરો
શોધમાં કહેવાયું છે દે દર્દીની સુગંધ શક્તિ સંપૂર્ણ રીતે ખતમ થતી નથી, ફક્ત 4.1 ટકા સુંઘવાની શક્તિ નાશ પામે છે. ટેસ્ટમાં 100 દર્દીઓ પર સર્વે કરાયો અને તેમને લસણ, ફૂદીનો, એલચી, નારિયેળ તેલ અને વરિયાળી સૂંધવા માટે આપવામાં આવી હતી.
દર્દીને નથી આવતી નારિયેળ તેલ અને ફૂદીનાની સ્મેલ
શોધમાં સાબિત થયું છે કે દર્દીને સુગંધનો ખ્યાલ આવતો નથી. ખાસ કરીને તેઓ નારિયેળ તેલ અને ફૂદીનાની સ્મેલ પારખી શકતા નથી. જે દર્દીને આ 2 ચીજની સ્મેલ આવતી નથી તેઓએ કોરોના ટેસ્ટ જલ્દીથી કરાવવો અને ડોક્ટરની મદદ લેવી.
ભારતમાં કોરોનાનો આંક 64 લાખને પાર
ભારતમાં કોરોનાના નવા કેસ સાથે કુલ આંક 64 લાખને પાર થયો છે અને સાથે જ ભારતનો મૃત્યુઆંક 1 લાખને પાર થયો છે. વિશ્વમાં મૃત્યુદરમાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતનો ક્રમ ત્રીજો છે.