ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા97 લાખની નજીક પહોંચી ગઈ છે. રાહતની વાત એ છે કે 91.39 લાખથી વધારે કોરોનના દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઈ ચૂક્યા છે. દેશમાં હવે કોરોનાના 4 લાખથી પણ ઓછા એક્ટિવ કેસ છે.
સાજા થવાનો દર 94 ટકાથી વધારે
ઝારખંડમાં કોરોનાથી મરનારાની સંખ્યા 988 થઈ ગઈ છે
હરિયાણામાં અત્યાર સુધી 2600 થી વધારે લોકોના મોત થયા
સાજા થવાનો દર 94 ટકાથી વધારે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર 94 ટકાથી વધારે છે. ત્યારે ડેથ રેટ 1.45 ટકા છે. જુલાઈ બાદથી ડિસેમ્બરમાં 4 લાખથી ઓછા એક્ટવ કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશના 27 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના 15 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. આ રાજ્યોમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિઝોરમ, પોન્ડિચેરી, સિક્કિમ , ત્રિપુરા, લદ્દાખ, આસામ, ઓડિશા, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, બિહાર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગોવા, પંજાબ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ગુજરાતનો સામિલ છે.
દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 3.15 ટકા છે.
દિલ્હીમાં કોરોનાના કેસમાં રાહતના સમાચાર છે. રાજધાનીમાં સોમવારે સતત બીજા દિવસે રિકવરી રેટ 94 ટકાથી વધારે કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં લગભગ 1674 દર્દી સામે આવ્યા છે. જ્યારે 63 દર્દીઓના મોત થાય છે. દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ચાલું આંકડા મુજબ દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 3.15 ટકા છે.
હરિયાણામાં અત્યાર સુધી 2600 થી વધારે લોકોના મોત થયા
હરિયાણામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 2,45,288 થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 2611 કોરોનાના દર્દીના જીવ ગયા છે. હરિયાણામાં સ્વસ્થ થવાનો દર 93.99 ટકા છે.
મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ
મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,15,957 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 3347 થઈ ગઈ છે. પ્રદેશમાં કુલ 2,15,957 સંક્રમિતોમાં અત્યાર સુધી 199167 દર્દીઓ કોરોનાથી જંગ જીતી ચૂક્યા છે.
ઝારખંડમાં કોરોનાથી 988 લોકોના મોત
ઝારખંડમાં કોરોનાથી મરનારાની સંખ્યા 988 થઈ ગઈ છે. જ્યારે સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને હવે 110457 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાણકારી રિપોર્ટ અનુસાર રાજ્યમાં 107710 કોરોનાના દર્દી અત્યાર સુધીમાં સાજા થઈ ચૂક્યા છે.