રાજસ્થાનમાં એક દિવસમાં ઓમિક્રોનના 21 કેસ નોંધાતા ડર વ્યાપ્યો છે. ભારતમાં ઓમિક્રોનના આગમન બાદ પહેલી વાર આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે.
રાજસ્થાનમાં એક દિવસમાં ઓમિક્રોનના 21 કેસ નોંધાયા
ભારતમાં ઓમિક્રોનના આગમન બાદ પહેલી વાર આટલી સંખ્યામાં કેસ
રાજ્યમાં ઓમિક્રોન ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૪૩ થઈ
ભારતમાં ઓમિક્રોનનો આંકડો પહોંચ્યો 400ને પાર
ભારતમાં ઓમિક્રોનનો કેર વધી રહ્યો છે. હવે રોજબરોજ મોટી સંખ્યામાં કેસ આવી રહ્યાં છે. શનિવારે રાજસ્થાનમાં એકઝાટકે ઓમિક્રોનના 21 કેસ આવતા તંત્ર ફફડી ઉઠ્યું છે. ભારતમાં ઓમિક્રોનના આગમન બાદ પહેલી વાર આટલી મોટી સંખ્યામાં કેસ તંત્રની ઊંઘ ઊડી છે. હાલમાં ઓમિક્રોનના સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર છે અને ત્યાર બાદ દિલ્હી છે રાજસ્થાનમાં પણ ધીરે ધીરે ઓમિક્રોન જોર પકડી રહ્યો છે.
Rajasthan | 21 new cases of #Omicron reported today, taking the total tally to 43: State Health Dept
રાજસ્થાનમાં ઓમિક્રોન ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૪૩ થઈ
21 કેસમાં જયપુરના 11, અજમેરના 6, ઉદયપુરના 3 નો સમાવેશ થાય છે. તેમાં ૫ ચેપગ્રસ્ત દર્દીઓ વિદેશ પ્રવાસથી પાછા ફર્યા હતા. આમ રાજસ્થાનમાં ઓમિક્રોન ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૪૩ થઈ ગઈ છે. જયપુરમાં સૌથી વધુ ૨૮ કેસ છે.
ભારતમાં ઓમિક્રોનનો આંકડો પહોંચ્યો 400ને પાર
રાજસ્થાનના 21 કેસની સાથે ભારતમાં ઓમિક્રોનનો આંકડો પહોંચ્યો 415 પર પહોંચ્યો છે. એક બાદ એક રાજ્યમાં પ્રતિબંધો લાગી રહ્યા છે. એવામાં આજે એક જ દિવસમાં ઓમિક્રૉનનાં કેસમક 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગઇકાલે દેશમાં ઓમિક્રૉનનાં કેસ 358 હતા જે આજે વધીને 415 થઈ ગયા છે જેમાંથી 115 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. હવે ઓમિક્રૉનને લઈને કેરળમાં કોવિડ-19 સંક્રમણને લઈને બનેલી એક ટીમના ડોક્ટરે કહ્યું હતું કે ઓમિક્રૉન વેરિયન્ટના વધતાં સંક્રમણને અટકાવી શકાય નહીં. આ કમિટીના ડૉક્ટર અનિસે કહ્યું હતુ કે એક સ્ટડી અનુસાર કોરોનાની ત્રીજી લહેર જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે. અને ઓમિક્રૉન વેરિયન્ટ આ લ્હેરનું મુખ્ય કારણ હોય શકે છે. જો કે તેમણે કહ્યું હતું કે તેઓને આશા છે કે તેઓની પાસે આ વખતે ગંભીર રીતે બીમાર લોકોની સંખ્યા બીજી લહેર કરતાં ઘણી ઓછી આવશે. કારણ કે આ વખતે એટલા ગંભીર લક્ષણો નથી જોવા મળી રહ્યા અને વેકસીનેટેડ લોકો આવી રહ્યા છે.