વેક્સિનના બન્ને ડોઝ ન લેનાર લોકોની જાહેરમાં એન્ટ્રી પ્રતિબંધિત કરવાનો નિર્ણય પંજાબ સરકારે લીધો છે.
કોરોના અટકાવવા પંજાબ સરકારનો મોટો નિર્ણય
વેક્સિનના બન્ને ડોઝ ન લેનાર લોકો જાહેરમાં નહીં નીકળી શકે
15 જાન્યુઆરીથી લાગુ પડશે નિયમ
હરિયામામાં પણ 1 જાન્યુઆરીથી લાગુ પડી રહ્યો છે નિયમ
કોરોનાને ફેલાતો અટકાવવા માટે પંજાબની ચન્ની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જારી આદેશ અનુસાર, 15 જાન્યુઆરથી નવા નિયમ લાગુ પડશે, નવા નિયમ અનુસાર જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા નથી તેઓ 15 જાન્યુઆરી પછી જાહેરમાં નહીં નીકળી શકે.
પંજાબના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ઓપી સોનીએ કહ્યું કે દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસના પગલે નાઈટ કર્ફ્યુ લાગુ પાડવાનો સરકારનો પ્લાન છે. તેમણે કહ્યું કે હાલમાં તો પંજાબમાં ઓમિક્રોનનો કોઈ કેસ નથીં.
હરિયામાં પણ લાગુ પડ્યો છે નિયમ
હરિયાણા સરકારે પણ ગત અઠવાડિયે આવો નિયમ લાગુ પડ્યો છે. હરિયાણા સરકારના નિયમ અનુસાર જે લોકોએ વેક્સિન લીધી નથી તેવા લોકો મોલ, રેસ્ટોરન્ટ, બેન્ક અને બીજા જાહેર સ્થળોએ નહીં જઈ શકે.
કેજરીવાલ સરકારે નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના નવા ખતરાને ઘ્યાનમાં લઈને દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. જીઆરએપી ગ્રેડડ રિસ્પોન્સ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. એટલે કે, દિલ્હીમાં હવે યલો એલર્ટ લાગુ થશે. જેમાં અનેક પ્રતિબંધો મુકવામાં આવશે. દિલ્હીની કેજરીવાલ સરકારે જુલાઈ 2021માં કોરોનાની ત્રીજી લહેરને પોહોંચી વળવા માટે જીઆરએપી તૈયાર કરી હતી.
દિલ્હીમાં યલો એલર્ટ લાગુ પડ્યું
-દિલ્હીમાં યલો એલર્ટ લાગુ થયા બાદ બાંધકામની ગતિવિધિઓ ચાલુ રહેશે.
-દિલ્હીની સરકારી ઓફિસોમાં A ગ્રેડના અધિકારીઓનો 100 ટકા સ્ટાફ આવવો પડશે, બાકીના 50 ટકા સ્ટાફને બોલાવવામાં આવશે. - 50 ટકા સ્ટાફ ખાનગી ઓફિસોમાં આવશે. સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ઓડ-ઈવન ધોરણે દુકાનો ખુલશે.
-ઓડ-ઈવનના ધોરણે સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી મોલ ખુલશે.
-દરેક ઝોનમાં 50 ટકા વિક્રેતાઓ સાથે માત્ર એક સાપ્તાહિક બજાર ચાલશે. રેસ્ટોરન્ટ અને બાર 50 ટકા ક્ષમતા સાથે ચાલશે.
-જાહેર ઉદ્યાનો ખુલશે. હોટેલો ખુલશે. વાળંદની દુકાન ખુલશે.
-સિનેમાઘરો, થિયેટરો, બેન્ક્વેટ હોલ, જીમ અને એન્ટરટેઈનમેન્ટ પાર્ક બંધ રહેશે.