ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ચીન, સિંગાપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને જાપાનથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં યાત્રિકો માટે બોર્ડિંગથી પહેલા RT-PCR ટેસ્ટિંગ આવશ્યક છે.
આ 6 દેશોનાં યાત્રિકોનું RT-PCR આવશ્યક
ચીનમાં વધતા કોરોના કેસને લઇને ભારતનો નિર્ણય
સ્વાસ્થ્ય મંત્રાલયએ કરી ઘોષણા
ભારતે 6 દેશોનાં ટ્રાંઝિટ આંતરરાષ્ટ્રીય યાત્રિકો માટે RT-PCR જરૂરી કરી દીધેલ છે. સ્વાસ્થ મંત્રાલયે સોમવારે કહ્યું કે ચીન, સિંગાપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને જાપાનનાં ટ્રાંઝિટ યાત્રિકો માટે બોર્ડિંગથી 72 કલાક પહેલાં કોવિડ RT-PCR નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવું આવશ્યક રહેશે.
બોર્ડિંગથી પહેલા ટેસ્ટિંગ આવશ્યક
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ચીન, સિંગાપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને જાપાનથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં યાત્રિકો માટે બોર્ડિંગથી પહેલા RT-PCR ટેસ્ટિંગ આવશ્યક છે. આ નિયમ ટ્રાંઝિટ યાત્રિકો પર પણ લાગૂ પડે છે. ભારતે આ પગલું એવા સમયે લીધું છે કે જ્યારે મહામારીની શરૂઆત બાદ ચીન પોતાના સૌથી ખરાબ પ્રકોપનો સામનો કરી રહ્યું છે.
"Mandatory pre-departure RT-PCR testing (to be conducted within 72 hrs prior to undertaking the journey) introduced for passengers in all international flights from China, Singapore, Hong Kong, South Korea, Thailand and Japan": MoHFW pic.twitter.com/z4AhnljzIT
ચીનમાં હાહાકારથી ભારત એલર્ટ
ગયાં મહિને એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે 20 ડિસેમ્બર સુધી ચીનમાં લગભગ 20% આબાદી વાયરસથી સંક્રમીત થઇ ચૂકી છે. ચીનમાં મહામારીની વચ્ચે હોસ્પિટલોમાં ભીડ અને મોર્ચરીમાં લાશોનાં ઢગલાં થઇ રહ્યાં છે. જેના કારણે કુલ 6 દેશો માટે ભારતમાં આંતરરાષ્ટ્રીય યાત્રિકો માટે નવા નિયમોની ઘોષણા કરવામાં આવી છે.
કેન્દ્રએ રાજ્યોને આપ્યાં આદેશ
ભારતમાં કોવિડનાં દરરોજ કોવીડનાં થોડા કેસો સામે આવી રહ્યાં છે. નવા વર્ષની ઊજવણી પહેલાં કેન્દ્રનાં રાજ્યોને યાદ અપાવવામાં આવ્યું હતું કે ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. કેન્દ્ર સરકારે મેડિકલ ઑક્સીજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.