દેશના 533 જિલ્લામાં કોરોના વાયરસનો પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા પણ વધારે છે. એટલું જ નહીં કોરોના હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
દેશના 13 રાજ્યોમાં 1 લાખ કરતા પણ વધારે એક્ટિવ કેસ
રાજ્યોમાં 50,000 થી 1 લાખની વચ્ચે એક્ટિવ કેસ
ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવાની જરુર
દેશના 42 જિલ્લામાં પોઝિટિવીટી રેટ નેશનલ એવરેજ કરતા વધારે
દેશના 13 રાજ્યોમાં 1 લાખ કરતા પણ વધારે એક્ટિવ કેસ છે, 6 રાજ્યોમાં 50,000 થી 1 લાખની વચ્ચે એક્ટિવ કેસ છે. 17 રાજ્ય એવા છે જ્યાં એક્ટિવ કેસો 50 હજારથી ઓછા છે. દેશભરમાં કુલ 37 લાખ કરતા વધારે એેક્ટિવ કેસો છે.
ICMR ડિરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્વગે જણાવ્યું કે કોરોનાની બીજી લહેર પ્રચંડ હોવાથી કોવિડના કુલ ટેસ્ટમાંથી 30 ટકાથી વધારે રેપિડ એન્ટિજન ટેસ્ટ ન થવા જોઈએ.
ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવાની જરુર
તેમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવાની જરુર છે. સ્કૂલો તથા સામૂદાયિક કેન્દ્રોમાં સેન્ટર ઉભું કરીને રેપિડ એન્ટિજન ટેસ્ટની વ્યવસ્થા કરાવવાની જરુર છે. તેનાથી ટેસ્ટિંગની ઝડપ વધશે. તેમણે કહ્યું કે ભારતમાં કોવિડ 19 ના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. નેશનલ પોઝિટિવીટી રેટ લગભગ 20-21 ટકાની આસપાસ છે. દેશના લગભગ 42 જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવીટી રેટ નેશનલ એવરેજ કરતા વધારે છે.
દેશમાં કુલ કેસની સંખ્યા 2,33,40,428 થઈ ગઈ
કોરોના વાયરસની બીજી લહેર હજું પણ કહેર વર્તાવી રહી છે. દેશમાં કોરોનાના નવા કેસમાં ગત એક બે દિવસોમાં અછત જોવા મળી રહી છે. મોતની સંખ્યામાં વધારાએ ચિંતા વધારી છે. દેશમાં પહેલી વાર મોતની સંખ્યાએ રેકોર્ડ નોંધાવ્યો છે. પહેલી વાર 24 કલાકમાં દેશમાં 4200 લોકોના મોત થયા છે. ભારતમાં નવા 3.48 લાખ નવા કેસ નોંધાયા છે. જેથી દેશમાં કુલ કેસની સંખ્યા 2,33,40,428 થઈ ગઈ છે.
પહેલી વાર 24 કલાકમાં 4200 લોકોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં સંક્રમણના 3,48,529 નવા મામલા સામે આવ્યા છે અને 4200 અને લોકોના મોત થયા બાદ કુલ મોતની સંખ્યા વધીને 2,54,227 થઈ ગઈ છે. 2 મહિનામાં સતત વૃદ્ધિ બાદ એક્ટિવ કેસની સંખ્યા 36, 99, 665 થઈ છે. જે સંક્રમણના કુલ મામલાના 16.16 ટકા છે. જ્યારે સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર 82.75 ટકા છે.
1,93,76,648 લોકો સંક્રમિત થયા બાદ સાજા થયા
આંકડાના અનુસાર અત્યાર સુધી 1,93,76,648 લોકો સંક્રમિત થયા બાદ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે મૃત્યુદર 1.09 ટકા છે. આઈસીએમઆરના જણાવ્યાનુસાર 10 મે સુધી 30,56,00,187 સેમ્પલના ટેસ્ટ સોમવારે કરવામાં આવ્યા હતા. સંક્રમણથી ગત 24 કલાકમાંજે 4198 લોકોના મોત થાય છે તેમાં કર્ણાટકમાં 480, મહારાષ્ટ્રમાં 793, દિલ્હીમાં 347, ઉત્તર પ્રદેશમાં 301, તમિલનાડુમાં 298, પંજાબમાં 214, છત્તીસગઢમાં 199, ઉત્તરાખંડમાં 118, હરિયાણામાં144, રાજસ્થાનમાં 169, પશ્ચિમ બંગાળમાં 132, ઝારખંડમાં 103 અને ગુજરાતમાં 118 લોકોના મોત થયા છે.