પેન્શનરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે પેન્શનરને હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવાના નિયમમાં છૂટછાટ આપી છે. હવે 31 ડિસેમ્બર સુધી પેન્શનર લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે. કોરોનાને ધ્યાને રાખીને સરકારે વરિષ્ઠ નાગિરકોને રાહત આપી છે.
પેન્શનરો માટે મહત્વના સમાચાર
સરકારે પેન્શનરોને આપી મોટી રાહત
લાઇફ સર્ટિ રજૂ કરવા માટે 31 ડિસેમ્બર સુધી આપી છૂટ
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મુદત લંબાવીને 30 નવેમ્બર કરાઈ હતી.સાથે જ સરકારે પેન્શન આપતી સંસ્થાને સૂચન કર્યું છે કે, તેઓ વીડિયો આધારિત ઓળખની સંભાવના ચકાશે. જેથી વીડિયો દ્વારા જ પેન્શેનરની ઓળખ થઈ શકશે અને લાઈફ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થઈ શકશે.
ઓનલાઇન હયાતીની ખરાઇ કરી શકશે
જો કે આ દરમિયાન રિઝર્વ બેન્કના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારો પણ કેન્દ્રના આ આદેશને અનુસરશે તેમ મનાય છે. મહત્વનું છે કે,31 ડિસેમ્બર, 2020 સુધી પેન્શનરો-કુટુંબ પેન્શનરો પોતાના હયાતીની ખરાઇ સંબંધિત બેંક અથવા જિલ્લા તિજોરી કચેરી અથવા પેન્શન ચુકવણા કચેરીમાં રૂબરૂ જઇને કરી શકે. તેમજ પેન્શનર કુટુમ્બર જીવન પ્રમાણ પોર્ટલ પર ઓનલાઇન હયાતીની ખરાઇ કરી શકશે.
મંત્રાલયે જાહેર કર્યુ નિવેદન
મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, બેંક શાખાઓમાં ભીડને ટાળવા માટે, બેંકોને RBIની માર્ગદર્શિકાની મર્યાદામાં પેન્શનરો પાસેથી લાઇફ સર્ટીફિકેટ એકત્રિત કરવા માટે વિડિઓ આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા (વી-સીઆઈપી) લેવાનું કહેવામાં આવ્યું છે. ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.