કોરોના વાયરસને લઈને વૈજ્ઞાનિકોની શોધ સતત ચાલુ રહી છે. રોજ અનેક નવા તથ્યો સામે આવી રહ્યા છે. એક નવા સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસના દર્દીઓમાં 9 દિવસ બાદ કોઈ સંક્રમણ જોવા મળતું નથી. એટલે કે 9 દિવસ બાદ કોરોના વાયરસના દર્દીની આ બીમારી કોઈ અન્ય વ્યક્તિમાં ફેલાતી નથી. આ સ્ટડી medRxiv માં છપાયો છે.
કોરોનાના સંક્રમણને લઈને નવો દાવો
9 દિવસ બાદ વ્યક્તિમાં સંક્રમણ જોવા મળતું નથી
રિપોર્ટમાં કરાયો છે નવો ખુલાસો
મળતી માહિતી અનુસાર વૈજ્ઞાનિકોએ આ માટે 79 સ્ટડીને એકત્ર કર્યા છે અને શોધમાં જાણવા મળ્યું છે કે નાક, ગળા અને મળમાં થનારા વાયરસના કણ 9 દિવસ બાદ સંક્રમણ વાળા રહેતા નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે લક્ષણ દેખાયા પછી કોરોના વાયરસના જેનેટિક મટિરિયલ દર્દીના ગળામાં 17-83 દિવસ સુધી રહે છે. પણ તે સંક્રામક હોતા નથી. શોધકર્તાનું કહેવું છે કે પીસીઆર ટેસ્ટમાં દર્દી નબળો હોવાના કારણે પકડમાં આવે છે જે 9 દિવસ બાદ વાયરસ ફેલાવવામાં અસમર્થ બને છે.
સ્ટડી અનુસાર કોરોના વાયરસના RNA શ્વસન તંત્ર અને મળમાં લાંબા સમય સુધી રહી શકે છે પણ આ ઓછા દિવસો સુધી સક્રિય રહે છે. આ માટે સંક્રમણને માટેની માહિતિ મેળવવા માટે RNAનો ઉપયોગ કરી શકાતો નથી. શોધકર્તાએ કહ્યું છે કે આ સ્ટડી પર તેઓ સહમત છે અને વાયરલ લોડ દર્દીમાં ઓછો રહે છે. બીમારીના પહેલાં અઠવાડિયામાં લક્ષણ દેખાવવાનું શરૂ થાય છે અને તે 5 દિવસ સુધી સૌથી વધુ સંક્રામક રહે છે. અનેક વાર તે ટેસ્ટ કરાવે ત્યાં સુધી તેનું સંક્રમણ ખતમ થઈ ચૂક્યું હોય છે.
શોધકર્તાનું માનવું છે કે કોરોના વાયરસના દર્દીને ઝડપથી આઈલોશનમાં રાખવા પર ભાર મૂકાય છે. જે લોકો એસિમ્ટોમેટિક એટલે કે લક્ષણો વિનાના છે તેમને આગળ જઈને સંક્રમણની શક્યતા ઓછી રહે છે. આ મહામારીને લઈને સ્ટડીમાં જાગરૂકતા રાખવા પર ભાર મૂકાયો છે.