સિંગાપોરના સંક્રમણ રોગ નિષ્ણાત ડો. અશોક કુરુપનું કહેવું છે કે, કોરોના સંક્રમિત હોવાના ૧૧ દિવસ બાદ દર્દીથી અન્યને ચેપ લાગવાનો કોઈ ખતરો હોતો નથી. ૧૧ દિવસ બાદ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકાય છે, ભલે તેનો ટેસ્ટ પોઝિટિવ કેમ ન આવ્યો હોય.
સિંગાપોરના ભારતીય મૂળના સંક્રામક રોગ નિષ્ણાતે પોતાના રિસર્ચમાં દાવો કર્યોઃ ૭૩ દર્દીઓ પર કર્યું સંશોધન
કોરોનાના ૭૩ દર્દીઓ પર થયેલા રિસર્ચમાં આ વાત સામે આવી છે. સંશોધકોનું કહેવું છે કે, આ પરિણામો હોસ્પિટલમાં દર્દીને ઝડપથી ડિસ્ચાર્જ કરવામાં મદદગાર સાબિત થશે અને મેડિકલ સુવિધાઓ મળવાથી વધુ લોકોને ફાયદો થઇ શકશે.
દર્દીમાં લક્ષણો દેખાવાનો સમય સંક્રમણના સાતથી દસ દિવસ સુધીનો રહે છે
વર્તમાનમાં હોસ્પિટલમાં બે વખત નેગેટિવ ટેસ્ટ આવતા ડિસ્ચાર્જ કરવાની મંજૂરી મળે છે. સંશોધકોના જણાવ્યા મુજબ, રિસર્ચનો ડેટા કોરોના મહામારીની શરૂઆતથી એકઠો કરાયો છે. પરિણામોના રૂપમાં સામે આવ્યું છે કે, દર્દીમાં લક્ષણો દેખાવાનો સમય સંક્રમણના સાતથી દસ દિવસ સુધીનો રહે છે. નેશનલ સેન્ટર ફોર ઈન્ફેક્શિયસ ડિસિઝે તાજેતરમાં રિસર્ચ રિપોર્ટ રિલીઝ કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે, દર્દીઓની તપાસમાં ઘણી વાર વાઈરસના સુક્ષ્મ અંશો મળી આવતા રિપોર્ટ પોઝિટીવ આવે છે. જ્યારે તેનાથી સંક્રમણનો કોઈ ખતરો રહેતો નથી. દર્દીના ઇલાજના બે અઠવાડિયા પછી પણ તેનો રિપોર્ટ પોઝિટીવ આવી શકે છે.
દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ કરી ખાતરી
દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ પણ કહ્યું કે મટી ગયા પછી કોરોના પોઝિટિવ આવવા પાછળ કોરોનાના મૃતકણો કારણભૂત હોઈ શકે છે. આવા દર્દીઓથી કોઈ ખતરો નથી. નોંધનીય છે કે દક્ષિણ કોરિયાએ એવા 285 દર્દીઓ ઉપર અધ્યયન કર્યું જેઓ ઈલાજ પછી પણ [પોઝિટિવ હતા.