ઓક્સીજન દવાની જેમ કામ કરે છે તેને અટકી અટકીને આપવામાં ફાયદો નથી અને કોઈ એવો ડેટા નથી કે દેશમાં ઓક્સીજનની અછત છેઃ એમ્સ નિર્દેશકે આપ્યું નિવેદન.
દેશના શીર્ષ ડોક્ટરે બુધવારે કહ્યું કે ઓક્સીજન દવાની જેમ કામ કરે છે અને તેને રોકાઈને આપવાથી કોઈ ફાયદો નથી. તેઓએ કહ્યું છે કે એવો કોઈ ડેટા નથી જે એમ બતાવે કે કોરના રોગીને કોઈ પણ રીતની મદદ ઉપયોગી થશે કે છે. કે આ બેકારની સલાહ છે.
શું કહ્યું એમ્સના ડો. રણદીપ ગુલેરિયાએ
એમ્સના ડો. રણદીપ ગુલેરિયા કહે છે કે 85 ટકા રોગી રેમડેસિવિરના રૂપમાં કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ વિના સાજા થશે. તેઓએ એમ પણ કહ્યું કે ખાસ કરીને જેને શરદી, ખાંસી અને સાથે ગળામાં ખારાશ છે તેઓ આ સામાન્ય લક્ષણોથી 5-7 દિવસમાં બહાર આવી શકે છે. ફક્ત 15 ટકા રોગીઓને બીમારીના મધ્ય સુધીનો સામનો કરવો પડી શકે છે.
જાણો કયા દર્દીઓને હાઈ લેવલ ઓક્સીજનની જરૂર નથી
ગુલેરિયાએ કહ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર સ્વસ્થ લોકો જેમનો ઓક્સીજન સેચ્યુરેશન 93-94 ટકા છે અને તેઓ પોતાના સેચ્યુરેશનને 98-99 સુધી રાખવા માટે હાઈ લેવલ ઓક્સીજનની જરૂર નથી, 94 ટકાથી ઓછી ઓક્સીજન લેવલના દર્દીઓને માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર રહે છે. ગુલેરિયાએ કહ્યું કે ઓક્સીજન એક ટ્રીટમેન્ટ છે. આ એવી દવા છે જેનો અટકી અટરીને ઉપયોગ કરવાથી કોઈ ફાયદો નથી. એવો કોઈ ડેટા નથી જે એમ કહે છે કે કોરોનાના રોગી માટે કોઈ પણ પ્રકારની મદદ છે કે હશે. આ એક બેકારની સલાહ છે.
ડોક્ટર નરેશ ત્રેહને આપી આ સલાહ
મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર નરેશ ત્રેહને સલાહ આપી છે કે જો આરણે યોગ્ય રીતે ઓક્સીજનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીશું તો દેશમાં પૂરતા પ્રમાણમાં ઓક્સીજન છે. તેઓએ લોકોને ઓક્સીજનનો સુરક્ષા કવચના રૂપમાં ઉપયોગ કરવાની સલાહ આપી છે. એક નિવેદનમાં કહેવાયું છે કે ઓક્સીજનની બરબાદી થવાથી એવા લોકો વંચિત રહી જાય છે જેમને ખરેખર તેની જરૂર હોય છે.