આ ફ્લાઈટ ભોજનની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે. આ નિયમ આજથી લાગૂ થશે.
આ ફ્લાઈટ ભોજનની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે
2 કલાકથી વધુ સમયની મુસાફરીમાં પ્રીપેક્ડ ફુડ આપી શકે
કોરોનાના બગડતી સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો
ફ્લાઈટ ભોજનની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે
દેશમાં કોરોનાની સ્પીડ અનિયંત્રિત થતી જણાઈ રહી છે. જેને જોતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નિર્ણય કર્યો છે કે હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મુસાફરી કરનારા એવા પ્રવાસી જેમનો પ્રવાસ 2 કલાકથી ઓછો છે. તેમને આ દરમિયાન ફ્લાઈટ ભોજનની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે. આ નિયમ આજથી લાગૂ થશે.
2 કલાકથી વધારે હોય તે એરલાઈન્સ કંપની તેમને ભોજન ઉપલબ્ધ કરાવી શકે
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અંગે દિશાનિર્દેશ જારી કરતા કહ્યુ કે દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે . આ દરમિયાન એરલાઈન્સની ઉડાનો દરમિયાન એ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવાની પરવાનગી નથી. જેમની મુસાફરીનો સમય 2 કલાકથી ઓછો છે. મંત્રાલયે કહ્યું કે, જે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં પ્રવાસનો સમય 2 કલાકથી વધારે હોય તે એરલાઈન્સ કંપની તેમને ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે. એરલાઈન્સ કંપનીઓએ આ માટે પ્રીપેક્ડ ફુડ અને ડિસ્પોસેબલ કટલરીનો ઉપયોગ કરવાનો રહેશે.
કોરોનાના બગડતી સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો
ગત વર્ષ કોરોના વાયરસ લોકડાઉન બાદ જ્યારે 25 મેના રોજ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરુ કરવામાં આવી હતી. ત્યારે મંત્રાલયે તમામ એરલાઈન્સને કેટલીક શરતોની સાથે વિમાનની અંદર પ્રવાસીઓને ભોજન ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપી હતી. હવે મંત્રાલયનું કહેવું છે કે દેશમાં કોરોનાના બગડતી સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફ્લાઈટમાં આજે લાગૂ થશે આ નિયમ
કોરોનાની સ્થિતિને જોતા આજથી તે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં ભોજન નહીં મળે જેની મુસાફરીનો સમય 2 કલાકથી ઓછો છે
2 કલાકથી વધારે સમયની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં એરલાઈન્સ પ્રીપેક્ડ ફુડ આપી શકે
કંપનીઓએ કોઈ પણ ડિસ્પોસેબલ કટલરીનો ઉપયોગ કરવાનો રહેશે જે ફરી ઉપયોગમાં નહીં લેવાય
તમામ ક્લાસના પ્રવાસીઓને ચા, કોફી અને અન્ય પેય પદાર્થ પણ પ્રીપૈક્ડ ડિસ્પોસેબલ વાસણમાં આપવામાં આવશે.