એક તરફ દિવસને દિવસે કોરનાના કેસ વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ કલોલ પાસે આવેલા પલિયડ ગામમાં હજારોની ભીડ એકઠી થઈ છે. આ ભીડ કોરોનાને વકરાવે તો નવાઈ નહીં.
ગુજરતભરમાંથી લોકો પાટોત્સવમાં ઉમટ્યા
હાથી અને ડીજે સાથે શોભાયાત્રા નીકળી
કોરોનાકાળમાં હજારોની ભીડ જામી
રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જો કે આ સંક્રમણ વધવાની સાથે બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. તે પણ ચિંતાજનક છે. કોરોનાના સંકટ વચ્ચે આજે ગાંધીનગર કલોલ પલીયડમાં શોભાયાત્રા નીકળી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા આટલું જ નહીં.અહીં યજ્ઞ અને મહાપ્રસાદમાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા. આ આખા કાર્યક્રમમાં ક્યાંક સામાજીક અંતરનું નમોનિશાન ન જોવા મળ્યું. વધી રહેતા સંક્રમણ વચ્ચે આ દ્રશ્યો ખરેખરે ચિંતાજનક છે.