કોરોના વાયરસની મહામારી સામે દુનિયા લડી રહી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રને એક સાથે મળીને કામ કરવા માટે અપીલ કરી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ મહામારી ઉપરાંત આતંકી સમુહો તરફથી ઉભી થનારી સમસ્યાઓથી અવગત કરાવ્યા છે.
જૈવિક આંતકવાદનો ખતરો વધી શકે છે
કોરોનાનો ફાયદો આતંકવાદી ઉઠાવી શકે છે
તમામ દેશોએ એક થઈ કામ કરવું પડશે
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે આ સમયે મોટા ભાગના દેશો કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. અને વૈશ્નિક સંકટના પરિણામ ભોગવી રહ્યા છે. હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે અને કેટલાય પરિવાર તુટ્યા છે. હોસ્પિટલ પર દર્દીનુ ભારણ વધી રહ્યું છે અને જરુરી સેવાઓમાં લાગેલા કર્મચારીઓ પર કામનુ ભારણ વધી રહ્યું છે.
While #COVID19 is first&foremost a health crisis, its implications are much more far-reaching.Terrorist groups may see window of opportunity to strike while the attention of most Governments is turned towards pandemic: UN Secretary-General Antonio Guterres to UN Security Council https://t.co/FeqeSmOSX9
તેમણ કહ્યું કે કોરોના એક સ્વાસ્થ્ય સંકટ છે. આ મહમારીનું દુષ્પરિણામ દુરગામી હશે. એવામાં તમામ દેશોની સરકારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક થવું પડશે. આતંકી સંગઠનો આનો ફાયદો ઉઠાવી શકે છે. આ પરિસ્થિતિમાં જૈવિક આતંકવાદનો ખતરો વધી શકે છે.