મહારાષ્ટ્રમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે, હાલત એવી છે કે અમુક હોસ્પિટલોમાં તો પથારીઓની પણ અછત વર્તાઇ રહી છે.
મહારાષ્ટ્રમાં બન્યો આ બનાવ
અમુક હોસ્પિટલોમાં વર્તાઇ રહી છે બેડની અછત
ઑક્સીજન માસ્ક લગાડીને દર્દીએ ધરણાં કર્યા હતા
સીએમ ઉદ્ધવ ઠાકરે દ્વારા મહારાષ્ટ્રમાં સતત થતા કોરોનાના નવા કેસો સરકાર માટે મોટી ચિંતાનું કારણ બની ગયા છે. રાજ્યના નાસિક શહેરમાં એક દર્દીને બેડ ન મળતાં તેણે ઓક્સિજન માસ્ક લગાડીને ધરણાં કર્યા હતા. બાદમાં આ દર્દીનું મોત નીપજ્યું હતું.
નાસિક મ્યુ. કોર્પોરેશનની સામે ધરણાં કર્યા હતા
મહારાષ્ટ્રના નાસિકમાં પથારી ન મળવાના કારણે 38 વર્ષીય કોવિડ -19 પોઝિટિવ પેશન્ટ નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે ઓક્સિજન માસ્કમાં ધરણા કર્યા હતા. બુધવારે સાંજે એક કલાકના ધરણા કર્યા બાદ નિગમની એમ્બ્યુલન્સ દ્વારા તેને મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રાત્રે 12 વાગ્યે આ દર્દીનું ઓક્સિજન લેવલ 40%ની જેટલું ગયો. રાત્રે 1 વાગ્યે હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.હવે પોલીસ અને નિગમ તપાસ કરી રહ્યું છે કે દર્દીને ધરણાં કરવા માટે કોણે ઉકસાવ્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. તે એવી સ્થિતિએ પહોંચી ગઈ છે કે કેટલીક હોસ્પિટલોમાં પથારીની અછત છે. થોડા દિવસો પહેલા નાગપુરની એક હોસ્પિટલના પલંગમાં બે દર્દીઓનો ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. જે ફોટો બહાર આવ્યો છે તે નાગપુરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલનો છે.
અધિકારીઓએ કહ્યું દર્દીઓ ખાનગીની જગ્યાએ સરકારી દવાખાનાઓ તરફ વળી રહ્યા છે
અધિકારીઓના જણાવ્યા મુજબ, લોકો ખાનગી હોસ્પિટલોની તુલનામાં ઓછા ખર્ચને કારણે દર્દીઓ સરકારી હોસ્પિટલો બાજુ વળી રહ્યા છે અને ગંભીર દર્દીઓ માટે સરકારી હોસ્પિટલો તરફથી ડોકટરો દર્દીઓને GMCH રિફર કરવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.જો કે, હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક બેડ પર બે પેશન્ટ વાળી સ્થિતિને હવે સુધારી લેવાઈ છે.