વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (Unicef) અને તેના સહયોગી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો કોરોના મહામારી વધશે તો તેનો ખતરો પ્રેગનેન્ટ મહિલાઓ અને તેમના ગર્ભ માટે મુશ્કેલીઓ લાવશે. WHO તરફથી એક રિપોર્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે કોરોનાની મહામારી વધશે તો દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે. અત્યારે 1 વર્ષમાં 20 લાખથી વધારે 'સ્ટિલબર્થ'ના કેસ સામે આવશે. રિપોર્ટ પ્રમાણે આમાંથી મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જોડાયેલા હશે.
WHOએ જાહેર કર્યો રિપોર્ટ
કોરોના વધવાથી વધશે મૃત્યુનું પ્રમાણ
દર 16 સેકંડે 1 મૃત બાળકનો થશે જન્મ
જાણો શું છે સ્ટિલબર્થ
WHO તરફથી ગુરુવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે અત્યારે દર વર્ષે 20 લાખ શિશુ મૃત (સ્ટિલબર્થ) પેદા થાય છે. જેમાં મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જોડાયેલા હોય છે. ગર્ભધારણ કર્યાના 28 અઠવાડિયા કે તેના પછી બાળકનું જન્મ અથવા પ્રસૃતિ દરમિયાન શિશુ મૃત થાય તો તેને 'સ્ટિલબર્થ' કહે છે. સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીનું કહેવું છે કે ગત વર્ષે ઉપ-સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયામાં દર ચાર જન્મમાંથી ત્રણ 'સ્ટિલબર્થ' હતા. સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યુનિસેફ)ના કાર્યકારી નિર્દેશક હેનરિટા ફોરે કહ્યું કે, "દર 16 સેકન્ડમાં ક્યાંક કોઈ માતા 'સ્ટિલબર્થ'ની પીડા સહન કરે છે. તેમણે કહ્યુ કે ખૂબ જ કાળજી, પ્રસૃતિ પહેલા યોગ્ય સારસંભાળ અને સુરક્ષિત પ્રસૃતિ માટે ડૉક્ટરોની મદદથી આને રોકી શકાય છે.
According to 🆕 estimates, almost 2 million babies are stillborn every year – or 1 #stillbirth every 16 seconds. #COVID19 related health service disruptions could worsen the situation, potentially adding 200,000 more stillbirths over a 12-month period:
👉https://t.co/vgD9SJSzCKpic.twitter.com/4fFAlbrIjj
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કોવિડ 19 મહામારીને કારણે વૈશ્વિક આંકડો વધી શકે છે. WHO તરફથી કહેવામાં આવ્યું છે કે સ્ટિલબર્થના 40 ટકાથી વધારે કેસ પ્રસૃતિ દરમિયાનના છે. જો મહિલાઓની પ્રસૃતિ તાલિમ મેળવેલા કર્મચારીઓ પાસે કરાવવામાં આવે તો આવા બનાવોને રોકી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણને કારણે સ્વાસ્થ્ય સેવાઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જેના પરિણામે 117 વિકાસશીલ દેશોમાં બે લાખ વધારાના 'સ્ટિલબર્થ' થઈ શકે છે.