ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ બેંગ્લુરુમાં નોંધાયા હોવાથી કેન્દ્ર સરકારે એક નવી ગાઈડલાઈન જારી કરીને લોકોને સાવધ રહેવાનું જણાવ્યું છે.
ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ
કેન્દ્ર સરકારની આવી નવી ગાઈડલાઈન
લોકોને સાવધ રહેવાનું જણાવ્યું
કોરોનાના નિયમોના પાલનની પણ સલાહ
જેનો ડર હતો આખરે તે જ થયું છે. ભારતમાં એમિક્રોન વેરિયન્ટની દસ્તા બાદ કેન્દ્ર સરકારે એક નવી ગાઈડલાઈન જારી કરી છે. હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર લવ અગ્રવાલ, નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલ અને ICMRના ડિરેક્ટર બલરામ ભાર્વગે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ચેતવણી આપી.
There are 2 parts to the virus to worry about-infectivity & virulence. The R0 factor may be 12-18 times or even higher. It means it could be a very devastating spread. Right now, we don't know the exact details of it: Dr Naresh Trehan, Chairman-MD, Medanta, The Medicity#Omicronpic.twitter.com/DQDXoY624y
દર્દીઓમાં અત્યાર સુધી કોઈ ગંભીર લક્ષણ સામે આવ્યાં નથી
તેમણે કહ્યું કે ભારતમાં નોંધાયેલા બન્ને દર્દીઓમાં અત્યાર સુધી કોઈ ગંભીર લક્ષણ સામે આવ્યાં નથી. દુનિયાભરમાં પણ આવા દર્દીઓમાં હળવા લક્ષણો દેખાઈ રહ્યાં છે. WHO નવા વેરિયન્ટની ખાસિયત અને તેની અસર પર સ્ટડી કરી રહ્યું છે.
WHOના દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારના અધ્યક્ષ ડોક્ટર પૂનમ ખેત્રપાલે કહ્યું કે આવું થવું અણધાર્યું નહોતું, આ ઘટનાથી સ્પસ્ટ થાય છે કે દરેક દેશે આ વાયરસને ફેલાતો અટકાવવા સચેત રહેવાની જરુર હતી.
ડોક્ટર પૂનમ ખેત્રપાલે જણાવ્યું કે લોકોએ સારા ફિટિંગ વાળું માસ્ક પહેરવું જોઈએ તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે, લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જતા બંધ કરવું જોઈએ.
ઓમિક્રોન સંક્રમણના હળવા લક્ષણો: આરોગ્ય મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આરોગ્ય સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, 'ઓમિક્રોન સાથે સંબંધિત તમામ કેસોમાં અત્યાર સુધીમાં હળવા લક્ષણો દેખાયા છે. દેશ અને વિશ્વભરમાં આવા તમામ કિસ્સાઓમાં હજી સુધી કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.
કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ નોઁધાયા
ICMRના DG બલરામ ભાર્ગવે જણાવ્યું કે કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા સ્થાપિત 37 લેબોરેટરીના સંઘ દ્વારા કરવામાં આવેલા જિનોમ સિકવન્સિગના રિપોર્ટમાં બન્ને કેસ ઓમિક્રોન પોઝિટીવ આવ્યાં છે. તેમણે કહ્યું કે આપણે ડરવાની જરુર નથી પરંતુ એલર્ટ રહેવું પડશે. કોવિડ અનુરુપ વ્યવહાર અત્યંત અનિવાર્ય છે.