કોરોનાથી સતત વધી રહેલા મોતના આંક સતત ચોંકાવી રહ્યા છે. આ સમય તેલંગાણાની મહાનગર પાલિકા ખાસ નિર્ણય લીધો છે. જેને લઈને હવે કોરોનાથી મોત પામેલા દર્દીઓના ફક્ત 1 રૂપિયામાં અંતિમ સંસ્કાર કરી શકાશે.
તેલંગાણા મહાનગર પાલિકાનો મોટો નિર્ણય
ફક્ત 1 રૂપિયામાં થશે કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર
જાણો શું છે ખાસ વ્યવસ્થા
કોરોના સંક્રમણના કારણે વધી રહેલા મોતના આંક બાદ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારના લોકોને અનેકગણી કિંમત ચૂકવવી પડી રહી હતી. મહામારીની વચ્ચે લૂંટ અને કાળા બજારી વધતા તેલંગાણાની સરકાર મોટો નિર્ણય લીધો છે. તેલંગાણાના કરીમનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દર્દીઓના ફક્ત 1 રૂપિયામાં અંતિમ સંસ્કાર કરશે.
અનેક રાજ્યો પર તૂટ્યો કહેર
કોરોના સંક્રમણના કારણે અનેક રાજ્યો પર કહેર જોવા મળ્યો છે. કોરોના દર્દીના મોતથી શ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં જગ્યા ઓછી પડી રહી છે. મૃતકોના પરિજનોને મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડી રહી છે. આ સમયે મૃતદેહના ઢેર થવાની સાથે જગ્યાની પણ અછત જોવા મળી રહી છે. અંતિમ સસ્કાર કોરોના દર્દીના યોગ્ય રીત થઈ રહ્યા નથી.
તેલંગાણાની પહેલ
અહી તેલંગાણાના કરીમનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ગરીબ પરિવારને માટે લોકોએ અંતિમ સંસ્કારને સમ્માનજનક રીતે કરાવવાની પહેલ કરી છે. આ મહાનગર પાલિકાએ મૃતકોના અંતિમ સંસ્કારને માટે ફક્ત 1 રૂપિયામાં વ્યવસ્થા શરૂ કરી છે.
જાણો શું છે આ પહેલનું નામ
આ પહેલને પહેલા અંતિમ યાત્રા, આખરી સફર નામ અપાયું હતું. તેને પહેલી લહેરમાં શરૂ કરાઈ હતી. બીજી લહેરમાં કોરોનાનો કહેર વધ્યો તો તેને ફરી શરૂ કરાઈ છે. પરિજનો માટે આ વ્યવસ્થા મદદરૂપ પૂરવાર થઈ રહી છે. આ યોજનામાં મૃતદેહને શ્મશાન સુધી લઈ જવા માટે નગર નિગમ બોડી ફ્રીઝરનો ઉપયોગ કરે છે જેથી મૃતદેહ સડે નહીં અને તેના સારી રીતે અંતિમ સંસ્કાર કરી શકાય.
પરિવાર પાસેથી મોટી રકમ વસૂલે છે પ્રાઈવેટ ટીમ
મેયરે કહ્યું કે સામાન્ય રીતે કોરોનાથી મોત થનારાના પરિજનો માટે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે 10000 રૂપિયા લેવામાં આવતા હતા. તો પ્રાઈવેટ અંતિમ સંસ્કાર કરનારી ટીમ વધારે ચાર્જ પણ વસૂલી લતી હતી. મહાનગર પાલિકાની મદદથી 1 રૂપિયાની સ્કીમમાં 150 મૃતદેહના અંતિમ સંસ્કાર ગયા વર્ષ કરવામાં આવ્યા હતા. નવી લહેરમાં લગભગ 100 જટલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી ચૂક્યા છે. કરીમનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આ પહલમા મડિગા સઘમનો સહયોગ મળવ્યો છ. તેનાથી નગરના બહારના નદીના ઘાટ પર કોરોના પ્રોટોકોલનું પાલન કરીને અંતિમ સંસ્કાર કરવામા આવી રહ્યા છે. આ સાથે પરંપરાઓનું પાલન પણ કરાઈ રહ્યું છે.