ભારતમાં હજુ પણ કોરોનાના અનેક પીક્સ આવી શકે છે. આ સમયે લક્ષણો વિનાના દર્દીઓ કોરોના સંક્રમણ ફેલાવી શકે છે. આ ચેતવણી દેશના 3 મોટા સ્વાસ્થ્ય વિશેષજ્ઞો ડો. રણદીપ ગુલેરિયા, ડો. ગગનદીપ કંગ અને ડો. ચંદ્રકાન્ત લહરિયાએ તેમની બુક 'Till we win: India's Fight Aganist Covid-19 Pandemic'માં આપી છે.
ભારતમાં આવી શકે છે કોરોનાના અનેક પીક
3 વિશેષજ્ઞોએ આપી મોટી ચેતવણી
લક્ષણો વિનાના દર્દીઓ ફેલાવી શકે છે સંક્રમણ
એક્સપર્ટના જણાવ્યા અનુસાર મૃત્યુદરમાં આવેલો ઘટાડો સારી વાત છે. પરંતુ કોરોનાના કેસને તેની સાથે કોઈ સંબંધ નથી. કોરોનાના ફરીથી સંક્રમણની શક્યતા ઓછી છે પરંતુ જે રીતે કેસમાં સામાન્ય લક્ષણો આવી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. અત્યારની સ્થિતિ પરથી કહી શકાય કે કોરોના વાયરસના પ્રી સિમ્ટોમેટિક કેસ પણ એટલા જ સંક્રામક હોઈ શકે છે જેટલા કે સંપૂર્ણ લક્ષણ વાળા દર્દી.
જાણો શું કહ્યું એઈમ્સના ડોક્ટર ગુલેરિયાએ
આ એક અનોખી યાત્રા છે જેમાંથી આપણે પસાર થી રહ્યા છે. તેઓએ કહ્યું કે બુક 3 સિદ્ધાંત પર આધારિત છે. એક શું કોરોના શ્વાસ સંબંધી બીમારી છે?બીજું પબ્લિક હેલ્થ રિસ્પોન્સ અને ફ્રંટલાઈનની સ્ટોરી અને ત્રીજું જનતા, નીતિ બનાવનારા અને ફિઝિશિયનના આવનારા રોડમેપ જે વેક્સીનની રાહ જુએ છે.
બુકમાં કોરોના સંક્રમણ બાદ પ્રભાવની વાત પણ કરાઈ છે. તેને લોન્ગ કોવિડ પણ કહે છે. શક્યતા છે કે કોરોનાના આવનારા સમયમાં મોટું સંકટ આવી શકે છે. ડો. ગુલેરિયાના જણાવ્યા અનુસાર કેસ ઘટી રહ્યા છે અને મોતની સંખ્યા પણ ઘટી છે. પણ માટાભાગના કેસમાં રિકવરીના કેટલાક અઠવાડિયા બાદ પણ સામાન્ય લક્ષણો જોવા મળે છે. જ્યારે તે હાર્ટ અને ફેફસાને નુકસાન કરી શકે છે.